ભરૂચ,
ભરૂચના સુપ્રસિદ્ધ ગુમાનદેવ તીર્થક્ષેત્રના મહંત મનમોહનદાસજી વિશ્વ કલ્યાણ અને ગૌહત્યા બંધ થાય તેવા ઉદ્દેશયો સાથે નર્મદા પરિક્રમાએ નીકળ્યા છે ત્યારે તેઓનું ભરૂચમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.જે બાદ કુકરવાડા ખાતે આવી પહોંચતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
વિશ્વની એકમાત્ર નદી પાવન સલીલા માં નર્મદાની પરિક્રમા કરવામાં આવે છે.ત્યારે નર્મદા પરિક્રમાનું શાસ્ત્રોમાં અનેરૂ મહત્વ આલેખવામાં આવ્યું છે. ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર ગુમાનદેવ હનુમાનજી મંદિરના મહંત મનમોહનદાસજી દ્વારા નર્મદા પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.વિશ્વ કલ્યાણની ભાવના અને ગૌહત્યા બંધ થાય તેવા ઉદ્દેશ્ય સાથે નર્મદા પરિક્રમાનો પ્રારંભ કરાયો હતો.મનમોહન દાસજી ભરૂચ આવી પહોંચતા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.જે બાદ તેઓ કુકરવાડા ખાતે આવી પહોંચતા ભાવિક ભક્તો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યા બાદમાં તેઓ આગળ જવા રવાના થયા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is