ભરૂચ,
ભરૂચના જંબુસર બાયપાસથી નર્મદા ચોકડી માર્ગ તરફની ફાટક આજથી ૨૧ માર્ચથી ૨૩ એમ ત્રણ દિવસ માટે જ્યારે નર્મદા ચોકડીથી બાયપાસ તરફની ફાટક ૨૫ માર્ચથી ૨૭ સુધી સમારકામ અર્થે તબક્કાવાર બંધ કરવાનો નિર્ણય રેલ્વે તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.
ભરૂચમાં રેલ્વે વિભાગ દ્વારા ભરૂચના જંબુસર બાયપાસ ચોકડી પાસે આવેલ રેલ્વે ફાટક સમારકામ અર્થે આજથી ૨૧ માર્ચથી ૨૩ માર્ચ એમ ત્રણ દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.જ્યારે નર્મદા ચોકડીથી બાયપાસ તરફના માર્ગ પરની ફાટક પણ સમારકામ અર્થે ત્રણ દિવસ તારીખ ૨૫ માર્ચથી ૨૭ સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ફાટક બંધ રહેતા જંબુસરથી આવતા વાહનોએ મનુબર ચોકડીથી ફરીને બ્રિજ ઉપરથી પસાર થવું પડશે,તો શેરપુરાથી બાયપાસ અને મહંમદપુરા જતા વાહનોએ મનુબર ચોકડી સુધીનો ફેરો કરવો પડશે.ફાટક બંધ કરવામાં આવતા નર્મદા ચોકડીથી દહેજ જતા વાહનોને કોઈ મુશ્કેલી પડશે નહીં.
ઉલ્લેખનીય છે કે જંબુસર ચોકડી પરની અને કડીરૂપ ગણાતી રેલવે ફાટકનું સમારકામ રેલવે તંત્ર દ્વારા તબક્કાવાર કરવામાં આવશે.ત્યારે અપ એન્ડ ડાઉનમાં જ્યારે સમારકામ થશે,ત્યારે અંશતઃ વાહન ચાલકોએ થોડી મુશ્કેલી વેઠવાનો વારો આવી શકે છે.
અત્રે ઉલ્લેખની છે કે આ ફાટક થી દહેજ,વાગરા અને જંબુસર માં આવેલી કંપનીઓ માં કર્મચારીઓને અવરજવર માટે ખાનગી બસો દોડતી હોય છે ત્યારે ત્રણ દિવસ ફાટક બંધ રહેવાના કારણે ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાઈ શકે છે.તો અહીંયાથી પસાર થતા લોકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is