મુંબઈ : ભારતમાં ઓટીટીની શરુઆત થયા બાદ સૌથી ચર્ચાસ્પદ બનેલા વેબ શો પૈકીના એક ‘લસ્ટ સ્ટોરીઝ’નો ત્રીજો ભાગ બનાવવાની તૈયારીઓ હાથ ધરાઈ છે.
જાણવા મળ્યા મુજબ વિવિધ એપિસોડને ડિરેક્ટ કરવા માટે કિરણ રાવ, શકુન બત્રા તથા વિક્રમાદિત્ય મોટવાણે જેવા જાણીતા દિગ્દર્શકો સાથે વાત ચાલી રહી છે.
આ વેબ શોનો પહેલો ભાગ ૨૦૧૮માં અને બીજો ભાગ ૨૦૨૩માં રીલિઝ થયો હતો. ‘લસ્ટ સ્ટોરીઝ’ શો એન્થોલોજી એટલે કે અલગ અલગ વાર્તાઓના સમૂહના જોનરનો શો છે. ૨૦૧૮માં પહેલીવાર આવેલા આ શોના અલગ અલગ એપિસોડને કરણ જોહર, ઝોયા અખ્તર, અનુરાગ કશ્યપ અને દિબાકર બેનરજી જેવા ટોચના સર્જકોએ ડિરેક્ટ કર્યા હતા. બીજા ભાગમાં આર. બાલ્કી અને કોંકણા સેન શર્મા સહિતના સર્જકો હતા. આ બંને શોમાં રાધિકા આપ્ટે, કિયારા અડવાણી, ભૂમિ પેડનેકર, મનિષા કોઈરાલા, જયદીપ અહલાવત સહિતના કલાકારો ભાગ લઈ ચૂક્યા છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is