best news portal development company in india

નર્મદા પરિક્રમાના રૂટ પર પરિક્રમાવાસીઓની સુરક્ષા વ્યવસ્થાનાં નિરીક્ષણ માટે પોલીસવડા પ્રશાંત સુંબેએ મુલાકાત લીધી

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા શરૂ થવાને હવે માત્ર બે જ દિવસો બાકી રહ્યા છે ત્યારે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ પરિક્રમા રૂટનું નીરિક્ષણ કરીને ભાવિક ભક્તોની સુરક્ષા વ્યવસ્થા અંગેનું નિરિક્ષણ કર્યું હતું.મુલાકાત દરમ્યાન રામપુરા ઘાટ, પાર્કિંગ વ્યવસ્થા, પગપાળા રૂટ પર લાઈટિંગ વ્યવસ્થા, નદી પાર કરવા માટે શહેરાવ ઘાટ ખાતે બની રહેલો ટેમ્પરરી બ્રીજ,જેટી અને પદયાત્રા રૂટ પરના બેરીકેડિંગ અંગે સંબંધિત એજન્સીના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી.એ ઉપરાંત આ વખતે પરિક્રમા માર્ગનાં તમામ રૂટ પર ખાસ CCTV કેમેરા લગાડવામાં આવશે. CCTV કેમેરા દ્વારા ખાસ મોનિટરિંગ કરશે એ માટે ચાર ઘાટ નાં ચાર ગેટ બનાવાયા છે.એ તમામ ગેટ પર કેમેરા લાગશે.જો જે અસહ્ય ગરમી હોવાથી વિસામાં માટે ખાસ અલગ ડોમ પણ બનાવાયો છે.આ મુલાકાત દરમિયાન પરિક્રમાના નોડલ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, માર્ગ અને મકાન વિભાગ પંચાયત, કરજણ સિંચાઈ, પોલીસ વિભાગના અધિકારીઓ,સંબંધિત એજન્સીના પ્રતિનિધિઓ જોડાયા હતા.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!