best news portal development company in india

બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન ? સેનાની આપાતકાલીન બેઠક : સેના પ્રમુખના નિવેદનથી અટકળો વધી

SHARE:

ઢાકા : બાંગ્લાદેશ અંગે સોશ્યલ મીડીયા પર અફવાઓનું બજાર તેજ છે. પાટનગર ઢાકા અને અન્ય મોટાં શહેરોમાં સૈનિકો અને સુરક્ષા કર્મીઓની ભારે તૈનાતી પછી તે ચર્ચા જોર પકડી રહી છે કે, મોહમ્મદ યુનુસની સરકારનો તખ્તાપલટ થવાનો છે. જોકે આ મુદ્દે ન તો મોહમ્મદ યુનુસ કે ન તો સેના પ્રમુખ વકાર-ઉઝ-ઝમાન તરફથી કોઈ પ્રતિક્રિયા મળી શકી નથી, છતાં છેલ્લાં ૨૪ કલાકમાં અફવા અને ચર્ચા જોર પકડી રહ્યાં છે.

આ પરિસ્થિતિમાં સેનાધ્યક્ષે આપાતકાલીન બેઠક બોલાવી છે. બીજી તરફ ઢાકા ટ્રિબ્યુનના રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મોહમ્મદ યુનુસ સાંજે ૭ વાગે ટીવી પર દેશને સંબોધન કરશે.

આ બધી ઘટનાઓના કેન્દ્રમાં સેનાધ્યક્ષ વકાર-ઉઝ-ઝમાન માનવામાં આવે છે. તેઓ ઉપર સત્તા સંભાળી લેવા દબાણ થઈ રહ્યું હોવાનું પણ કહેવાય છે. આ પૂર્વે તેઓએ ચેતવણી આપી હતી કે, દેશમાં આતંકી હુમલા વધવાનો ભય છે. દેશ પર ઈસ્લામિક આતંકવાદનો ખતરો ઝળુંબી રહ્યો છે.

આ ચેતવણી તેઓએ તેવે સમયે આપી છે કે, જ્યારે છાત્ર સંગઠનો, યુનુસ સરકાર વિરૂદ્ધ બેફામ વધી રહેલા ભ્રષ્ટાચાર, સતત વધતી મોંઘવારી અને લાંબા સમયથી ચાલતી અરાજકતા જેવી સ્થિતિને લીધે વ્યાપાર, ઉદ્યોગોમાં થઈ રહેલી પીછેહઠ તેના પરિણામે યુવાનોમાં વધતી બેકારીને લીધે યુનુસનાં વડપણ નીચે ચાલતી સરકાર વિરૂદ્ધ લોકો વિશેષત: યુવાનો રસ્તા ઉપર આવી ગયા છે. દેશમાં અરાજકતા જેવો માહોલ છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!