(ફૈઝાન ખત્રી,છોટાઉદેપુર)
– આધેડ ચાલતા જતા હતા ત્યારે પાછળથી મોટર સાયકલે ટક્કર મારી
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કલારાણી પાસે મોટર સાયકલની અડફેટેે રાહદારી આધેડનું ઘટના સ્થળેજ કરૂણ મોત નિપજ્યું હતું. આ આધેડ ચાલતા જઈ રહ્યા હતા.ત્યારે પાછળથી એક બાઈક ચાલકે તેમને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો.ઘટનાની જાણ થતાં કરાલી પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબ્જો લઈને પીએમ માટે પાવીજેતપુર સરકારી દવાખાને મોકલી આપ્યો હતો.
વિગતો અનુસાર ગજરા ગામે રહેતા ૫૮ વર્ષીય ગોકળભાઈ ચંદુભાઈ રાઠવા ગજરા ગામેથી કલારાણી તરફ આવી રહ્યા હતા, તે દરમ્યાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા બાઈક ચાલકે આધેડને અડફેટમાં લેતા માથા પર ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં તેમના પરિવારના સભ્યો સ્થળ પર આવી પહોંચ્યા હતા.આ અંગેની જાણ કરાલી પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.બનાવ અંગે મૃતકના પરિવારજન જશુભાઈ ચંદુભાઈ રાઠવાએ કરાલી પોલીસ મથકે અકસ્માત કરનાર બાઈક ચાલક નગીનભાઈ ખાલપા ભાઈ રાઠવા રહે.કોસુમ વિરૂધ્ધ કરાલી પોલીસમા ફરિયાદ લખાવતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is