best news portal development company in india

નર્મદા પરિક્રમાને પગલે જિલ્લાના તમામ અધિકારીઓની રજાઓરદ કરી દેવાઈ!

SHARE:

(જ્યોતિ જગતપ,રાજપીપલા)
આવતીકાલ ૨૯ માર્ચથી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે.પરીક્રમાને આડે માંડ એક દિવસ બાકી છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર નવા નવા ફતવા ઉભા કરી લોકોની તકલીફ વધારી રહ્યાં છે.આ પહેલા જિલ્લા કલેકટરે નર્મદામાં મગરો હોવાના કારણે નર્મદા સ્નાન પર પ્રતિબંધ લાદી દેતા ભક્તોની લાગણી તો દુભાઈ જ હવે અધિકારીઓની લાગણી દુભાય એવો વારો આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદાપરિક્રમાને પગલે જિલ્લાના તમામ અધિકારીઓની રજાઓરદ કરી દેવાઈ છે.હવેથી જિલ્લા કલેકટરની પૂર્વ મંજૂરી સિવાય કર્મચારી,અધિકારી હેડ કવાટર નહીં છોડવાના આદેશો જારી કરી દેવાયા છે .
જિલ્લાના વિવિધ વિભાગોના કર્મચારીઓના પરિક્રમા માટે વિવિધ જવાબદારીઓ,ફરજ સોંપી દીધી છે.જિલ્લા કલેકટરની પૂર્વમંજૂરી સિવાય કોઈ પણ અધિકારીઓ કર્માચારી હેડ ક્વાર્ટરના છોડવા ના આદેશ આપી દેતાં કર્મચારીઓમાંકચવાટ જોવા મળી રહ્યો છે.પાડાનાં વાંકે પખાલીને ડામ જેવો ઘાટ અધિકારીઓ કર્મચારીઓનો ઘડાયો છે આ અંગે અધિકારીઓ કશું બોલી શકે એમ નથી.ત્યારે હવે આ વર્ષેનર્મદા પરિક્રમામાં લાખો ભક્તો ઉમટી પડવાની સંભાવનાના કારણે આ નિર્ણય લેવાયો છે.ત્યારે જાહેર રજાઓમાં પણ તમામને પોતાના હેડ ક્વાર્ટર ખાતે હાજર રહેવુ પડશે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!