(વિજય વસાવા,નેત્રંગ)
ભરૂચ જીલ્લાના વાલીયા-ઝઘડીયા તાલુકા માંથી નેત્રંગ તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ લાખો – કરોડો રૂપિયાના ખર્ચ દિવ્યભવ્ય તાલુકા સેવાસદનના મકાનનું નિર્માણ કરવામાં આવ્યું હતું.જેમાં હાલના સમયમાં મામલતદાર કચેરી,તાલુકા સીવીલ કોર્ટ, પુસ્તકાલય, પાણી-પુરવઠા વિભાગની ત્રણ શાખા સહિતની અનેક કચેરીઓ કાર્યરત છે.આ તાલુકા સેવાસદનનુ કમ્પાઉન્ડ વિશાળ હોવાથી ગ્રામજનો વહેલી સવારે અને રાત્રીના ચાલવા માટે જાઈ છે.કારણ કે નેત્રંગ તાલુકાની ચારેય તરફના રોડ-રસ્તાઓ ખરાબ છે અને વાહનચાલકો બેફામપણે વાહનો હંકારતા હોવાથી જીવના જોખમે ચાલવું મુશ્કેલ બને છે.
તેવા સંજોગોમાં નેત્રંગના મામલતદાર રીતેશ કોકણીએ નેત્રંગ પો.સ્ટેશનના પીઆઈને લેખિત રજુઆત કરીને રાત્રીના આઠથી સવારના આઠ વાગ્યા સુધી પોલીસ બંદોબસ્ત તૈનાત કરવાની માંગ કરવામા આવી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is