– રાજપીપલા નગરને વિકાસનાં કામો દ્વારા નંદનવન કેવી રીતે બનાવાયએ બાબતની ચર્ચા હાથ ધરાઈ
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
રાજપીપલા નગર પાલીકા સભાખંડમાં રાજપીપલા નગરપાલીકાનાં બજેટ અંગે મહત્વની ખાસ બેઠક મળી હતી.જેમાં ૨૦૨૫-૨૬ માટે ૯૨ કરોડનું બજેટ સર્વાનુમત્તે મંજુર કરવામાં આવ્યું હતું.જેમાં રાજપીપલા નગરને વિકાસનાં કામો દ્વારા નંદનવન કેવી રીતે બનાવાય એ બાબતની ચર્ચા હાથ ધરાઈ હતી.જેમાં કારોબારી ચેરમેન કુલદીપસિંહ ગોહિલ,ઉપપ્રમુખ ગિરિરાજસિંહ ખેર,મુખ્ય અધિકારી રાહુલ ઢોડીયા પાલિકાના ચૂંટાયેલાં સભ્યો સહિત અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.રાજપીપલા પાલીકા સભાખંડમાં મળેલી બોર્ડ મિટિંગમાં આગામી નાણાંકિય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ૯૨ કરોડનું બજેટ સર્વાનુમત્તે મંજુર કરવામાં આવ્યું હતું.સાથે સાથે છ માસિક નવ માસિક હિસાબો પણ સર્વાનુમતે મંજૂર થયા છે.આ અંગે કુલદીપસિંહ ગોહિલ કારોબારી અધ્યક્ષ, રાજપીપળાએ જણાવ્યું હતું કે જે પણ બાકીના વિકાસના કામો છે તેને બજેટ માં લઈ આગામી સમય માં રાજપીપળાને નંદનવન કેવી રીતે બનાવાય એ બાબતની ચર્ચા હાથધરી હતી.આગામી દિવસોમાં નગરના બાકી રહેલા વિકાસનાં કામો હાથ ધરાશે એમ જણાવ્યું હતું.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is