કઠલાલમાં ઉર્મિલાબહેન રોહિત એસટી બસમાં કંડક્ટર તરીકે આણંદથી દાહોદ એક્સપ્રેસ રૂટમાં ફરજ પર હતા. ૨૪ માર્ચે તેઓ પોતાની બસના ડ્રાઇવર રાજકમલભાઇ ચૌહાણ સાથે દાહોદના રૂટમાં ગયા હતા. આણંદ પરત આવતા સેવાલીયા નાસ્તો કરવા બસ ઉભી હતી.ઉર્માલાબહેને અન્ય મહિલા કંડક્ટરને દાહોદની બસ ઉપડવાનો સમય પૂછ્યો હતો અને મહિલા કંડક્ટરે કહ્યુ કે, મને ખબર નથી.
હું આજે જ આવેલી છું, જે પૂછવું હોય તે મારા ડ્રાઇવરને પૂછો, પોતાની બસના ડ્રાઇવર પાસે જતા રહ્યા હતા. બાદમાં ડ્રાઇવર ઉર્મિલાબહેન પાસે આવ્યા હતા. અમારી બસ જેમ ચાલુ તેમ તમારે શું તેમ કહીને ઝઘડો કર્યો હતો અને ઉર્મિલાબહેનને મારમાર્યો હતો. આ મામલે રાજકમણભાઇએ ઉર્મિલાબહેનને છોડાવ્યો હતો. ઉર્મિલાબહેનને આણંદ પહોંચી સારવાર માટે ખસેડાયા હતા. આ મામલે ઉર્મલાબહેને મલેક મોહમ્મદ જમીરહુશેન મુહીર હુશેન સામે ફરિયાદ ફરિયાદ નોંધાવી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is