best news portal development company in india

આજથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનો ભવ્ય પ્રારંભ

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ગુજરાતમાં માંગરોલ ખાતે એકમાત્ર ઉત્તરવાહિની નર્મદા આવેલી છે.જે ચૈત્ર માસમાં ૨૧ કિમિની પંચકોષી ઉત્તરવાહિની નર્મદા પરીક્રમાનું વિશેષ ધાર્મિક મહત્વ છે.જેનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે.જેનાં દર્શન માત્રથી પવિત્ર થવાય એવી માં નર્મદાને ખોળે આજથી એક મહિના માટે શરૂ થયેલ નર્મદા પરિક્રમાનો પ્રારંભ થયો છે.આજે પહેલા દિવસથી જ મોટી સંખ્યામાં ભક્તો પરિક્રમા માટે ઉમટ્યા હતા.
ચૈત્ર મહિનાના શરૂ થયેલી ઉત્તરવાહીની પ્રથમ દિવસે મીની મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ ઉમટ્યા હતા અને માં નર્મદાનાં દર્શન કરી ૨૧ કિમિની પરિક્રમા કરી શ્રદ્ધાળુંઓએ ધન્યતાઅનુભવી હતી.આ પરિક્રમા દરમ્યાન ભક્તો માટે ચા, નાસ્તા ભોજનની સુંદર વ્યવસ્થા કરાઈ છે.અહીં બે વખત નર્મદા પાર કરવા માટે લાઈફ જેકેટ સાથે નાવડી બોટ ની સુંદર વ્યવસ્થા શહેરાવ ઘાટ પર સામે પાર જવા માટે ૨.૬૦ કરોડનાં ખર્ચે કામચલાઉ સુંદર પુલ તૈયાર થઈ જતા પુલપરથી નર્મદા પાર કરતા પરિક્રમાવાસીઓ નજરે પડતા હતા.નહાવા માટે ફુવારા, ટોયલેટ બાથરૂમ, મેડિકલ સુવિધાઓ ઉપરાંત સીસીટીવી કેમેરા સહીત સુંદર વ્યવસ્થાથી પરિક્રમાવાસીઓ અભિભૂત થયાં હતા.
સ્કંદપુરાણમાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું વિશેષ ધાર્મિક મહત્વછે ત્યારે ઉત્તરવાહીની પરિક્રમા રામપુરા, કીડીમકોડી ઘાટ, રણછોડરાયના મંદિરથી પ્રારંભ થઈને માંગરોળ, ગુવાર, શહેરાવ, તિલકવાડા ઘાટ, રેંગણ-વાસણ ગામ થઇને નર્મદા નદી બોટ મારફત પાર કરી પરત રામપુરા ઘાટ પર સ્નાન કરીને પરિક્રમા અંદાજે ૨૧ કિ.મી. પૂરી થાય છે.અહીં હજારોની સંખ્યામાં ભાવિકો શ્રદ્ધાળુઓ આ પગપાળા પરિક્રમા કરે છે તો કેટલાક નાવડી માર્ગે તો કેટલાક મોટરમાર્ગે પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે.ગરમીને કારણે વહેલી સવારથીભક્તોપરિક્રમા કરે છે.પરિક્રમાના રૂટમાં આવતા પ્રાચીન મંદિરો, આશ્રમોના દર્શન પ્રસાદનો લાભ ભકતો લઈ રહ્યાં છે.પરિક્રમાના સમગ્ર રૂટ ઉપર લાઈટ, પાણી, બેસવાની વ્યવસ્થા, ડોમ,ચાર ઘાટ પર બેરિકેટીંગ, સીસીટીવી કેમેરા, છાયડો, આરોગ્ય, પીવાના પાણીની સુવિધા, પોલીસ બંદોબસ્ત સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સેવા કેન્દ્રો, સ્ટોલ,ટોયલેટ સુવિધા સ્નાન માટે બાથરૂમ, ફુવારા વગેરે વ્યવસ્થા કરાઈ.
ગુજરાતમાં એક માત્ર ઉત્તર વાહિની નર્મદા વહે છે,હાલ નર્મદા જિલ્લાના માંગરોલ નર્મદા તટે થી પંચકોષી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થયો છે.આ પરિક્રમા ૩ વાર કરવાથી ૩૭૫૦ કી.મીટર પગપાળા પરિક્રમા કરવાનુ ફળ મલે છે અને ૭૧ પેઢીનો મોક્ષ મળે છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!