– ગુમાનદેવ મંદિરના મહંત દ્વારા સાધુસંતોના સહયોગથી તા.૧૬ મીના રોજ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું
– ભરૂચ જિલ્લાના વિસ્તારમાં પગપાળા તેમજ આગળના વિસ્તારમાં વાહન દ્વારા પરિક્રમા યોજાઈ હતી
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલ ગુમાનદેવ હનુમાન મંદિરની ગણના ગુજરાતના અગ્રગણ્ય હનુમાન મંદિરોમાં થાય છે.ગુમાનદેવ મંદિરના વર્તમાન મહંત શ્રી મનમોહનદાસ દ્વારા હાલમાં અન્ય સાધુસંતોના સહયોગથી નર્મદા પરિક્રમા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.ગુમાનદેવ મંદિર ભક્ત પરિવાર આયોજિત આ નર્મદા પરિક્રમા યાત્રા આજરોજ તા.૨૯ મીના રોજ સારસા ગામે આવતા રાજપારડીના ગ્રામ પંચાયત સદસ્ય નિલેશભાઇ સોલંકીના પ્લાન્ટ પર પરિક્રમા યાત્રાએથી આવેલ મહંત મનમોહનદાસ અને અન્ય સંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપા અગ્રણી મહેશભાઈ પાટણવાડીયા, બારડોલીના હનુમાન ભક્ત મયંકભાઈ વ્યાસ સહિત અન્ય અગ્રણીઓ અને ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.તા.૧૬ મી માર્ચના રોજ ગુમાનદેવથી પરિક્રમા યાત્રા નીકળી હતી.પરિક્રમા યાત્રીઓ દ્વારા ભરૂચ જિલ્લાના વિસ્તારમાં પગપાળા તેમજ આગળના વિસ્તારમાં વાહન દ્વારા નર્મદા પરિક્રમા યાત્રા કરવામાં આવી હતી. આજરોજ ઝઘડિયા તાલુકાના સારસા ગામે પરિક્રમા યાત્રા આવતા નિલેશભાઈ સોલંકી, મહેશભાઈ પાટણવાડીયા તેમજ અન્ય ભક્તજનો દ્વારા પરિક્રમા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સારસા ગામેથી પરિક્રમા યાત્રા દ્વારા પ્રસ્થાન કરીને ખડોલી ઝઘડિયા થઈને ગુમાનદેવ મંદિરે પહોંચીને યાત્રાનું સમાપન કરવામાં આવશે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is