best news portal development company in india

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ભરૂચ મુકામે ભરૂચ જિલ્લા સમરસતા સેમિનાર યોજાયો

SHARE:

ભરૂચ,
નાયબ નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ ભરૂચ અને ઝઘડિયાની વિજયભારતી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને વિજયભારતી સંસ્થા સારસા- ઝઘડિયાના સંયુક્ત ઉપક્રમે આજરોજ તા.૨૯ મીના રોજ નાયબ નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ ભરૂચ આયોજિત ભરૂચ જિલ્લા સમરસતા સેમિનાર બાબા સાહેબ આંબેડકર હોલ ભરૂચ ખાતે યોજાયો હતો.
ભરૂચ જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ રાયસીંગભાઈ રાઠોડના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં જી એલ ડી એમ પ્રતાપસિંહ બારોટ, ભરૂચ જિલ્લા રોહિત સમાજના મંત્રી માવજીભાઈ વાઘેલા, સામાજિક કાર્યકર મહેશભાઈ વસાવા,વિજયભારતી સંસ્થાના પ્રમુખ રતિલાલ રોહિત, જયેશભાઈ,નાયબ નિયામક ભરૂચના ઓ એસ રોશનીબેન, સમાજ કલ્યાણ અધિકારી હેતાવીબેન,પલ્લવીબેન તેમજ તેજસ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં અનુસુચિત જાતિને લગતી કલ્યાણકારી યોજનાઓની માહિતી રતિલાલ રોહિતે આપતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચાલે છે, જેનો લાભ લેવા અનુસુચિત જાતિ સમાજના લોકોએ યોગ્ય લાભ લઈને રોજગાર બાબતે સ્વાવલંબી બનવા આગળ આગવું જોઇએ. કુંવરબાઈનું મામેરું,ઉચ્ચ અભ્યાસક્રમની યોજના, આંબેડકર આવાસ યોજના, સમૂહ લગ્ન યોજના સહિતની વિવિધ સરકારી યોજનાઓની જાણકારી આપી હતી.એકથી બારમાં ધોરણ સુધીના બાળકો માટે વિનામૂલ્ય રહેવા જમવાની અને છાત્રાલયની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે,જેનો લાભ લેવા પણ આ પ્રસંગે જણાવાયું હતું.અન્ય અગ્રણીઓએ પણ શિક્ષણની સાથે સાથે અન્ય રોજગાર લક્ષી યોજનાઓનો યોગ્ય લાભ લેવા અનુરોધ કર્યો હતો.કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પ ગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. અંતે કાર્યક્રમને સફળ બનાવવા બદલ જયેશભાઈએ ઉપસ્થિત સહુનો આભાર માન્યો હતો.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!