ભરૂચ,
ભરૂચ જિલ્લા પોલીસે NDPS એક્ટ હેઠળ નોંધાયેલા ૩૧ કેસમાં જપ્ત કરાયેલા નશીલા પદાર્થોનો દહેજ ખાતે આવેલી બેઈલ કંપનીમાં નાશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની અધ્યક્ષતામાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી પૂર્ણ કરી હતી.નાશ કરાયેલા નશીલા પદાર્થોની કિંમત રૂપિયા ૪ કરોડ ૪૩ લાખ ૭૩ હજાર ૫૦૩ આંકવામાં આવી છે.આ તમામ નશીલા પદાર્થો NDPS એક્ટ હેઠળ નોંધાયેલા વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવ્યા હતા.પોલીસે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને આ માદક પદાર્થોનો નાશ કર્યો હતો.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is