best news portal development company in india

NDPSના ૩૧ કેસમાં ભરૂચમાં ૪.૪૩ કરોડના નશીલા પદાર્થોનો જપ્ત કરાયેલો જથ્થાનો દહેજની બેઈલ કંપનીમાં નાશ કરાયો

SHARE:

ભરૂચ,

ભરૂચ જિલ્લા પોલીસે NDPS એક્ટ હેઠળ નોંધાયેલા ૩૧ કેસમાં જપ્ત કરાયેલા નશીલા પદાર્થોનો દહેજ ખાતે આવેલી બેઈલ કંપનીમાં નાશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની અધ્યક્ષતામાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી પૂર્ણ કરી હતી.નાશ કરાયેલા નશીલા પદાર્થોની કિંમત રૂપિયા ૪ કરોડ ૪૩ લાખ ૭૩ હજાર ૫૦૩ આંકવામાં આવી છે.આ તમામ નશીલા પદાર્થો NDPS એક્ટ હેઠળ નોંધાયેલા વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવ્યા હતા.પોલીસે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને આ માદક પદાર્થોનો નાશ કર્યો હતો.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!