ભરૂચ,
ભરૂચ જીલ્લા આહિર સમાજ દ્વારા આગામી તારીખ ૨૦ એપ્રિલ ૨૦૨૫ ના રોજ ભરૂચ દુધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે આહિર સમાજનો આઠમો સમૂહ લગ્ન યોજવા જઈ રહ્યો છે.આ સમૂહ લગ્નમાં ૧૨ નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં ભરશે.ત્યારે આજરોજ ભરૂચના કસક ખાતે ભરૂચ જીલ્લા આહિર સમાજની ઓફિસે આહિર સમાજના સમુહ લગ્નની કંકોત્રી લખાણ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં પ્રમુખ દિનેશભાઈ આહિર,મહામંત્રી બાલુભાઈ આહિર,ખજાચી નટવરભાઈ આહિર તથા કમિટી સભ્યો ઉપસ્થિત રહી આજે કંકોત્રી લખાણ કાર્યક્રમ યોજાયો હતો તથા સમૂહ લગ્નમાં જોડાનારા નવ દંપતીના માતા – પિતા ઉપસ્થિત રહી કંકોત્રી લખાણ કર્યાકમ યોજાયો હતો.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is