(સલીમ કડુજી,નબીપુર)
શુકલતીર્થ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન ખાતે આવનારા તહેવારો સંદર્ભે શાંતિ સમિતિની બેઠક યોજાતા પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારના આગેવાનો હાજર રહ્યા હતા.
આવનારા આગામી દિવસોમાં રામનવમી અને મહાવીર જ્યંતી ના તહેવારો આવી રહ્યા છે જે શાંતિમય વાતાવરણમાં ઉજવાય તે હેતુસર ભરૂચ જિલ્લાના શુકલતીર્થ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિનું આયોજન કરાયું હતું.જેમાં નબીપુર પોલીસ સ્ટેશનના પી.આઈ એ.એચ.છૈયાની અધ્યક્ષતામાં યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારના આગેવાનો હાજર રહ્યા હતા.આ બેઠકમાં આવનારા તહેવારો શાંતિમય રીતે ઉજવાય તે અંગેની વિસ્તૃત ચર્ચા કરી તમામ ઉપસ્થિત આગેવાનોને માહિતગાર કરાયા હતા જેથી તેઓ પોતાના વિસ્તારમાં નાગરિકોને સમજ આપી એકતા અને ભાઈચારા સાથે તહેવારો ઉજવી શકે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is