best news portal development company in india

શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે બ્રહ્મરત્નોનું સન્માન,નિઃશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ યોજાશે

SHARE:

ભરૂચ,
ભરૂચ શહેર અને જિલ્લામાં બ્રહ્મસંગઠનો દ્વારા આગામી શ્રી પરશુરામ ભગવાન જન્મોત્સવની વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવશે.
આગામી વૈશાખ સુદ ત્રીજને અખાત્રીજને તારીખ ૩૦/૦૪/૨૦૨૫ ને બુધવારના રોજ ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર અને બ્રાહ્મણોના આરાધ્ય ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે.જે અંતર્ગત વિવિધ બ્રહ્મસંગઠનો દ્વારા ભરૂચ શહેર અને જિલ્લામાં વિવિધ કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા છે.શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર દ્વારા શોભાયાત્રા,પૂજન-અર્ચન,મહાઆરતી કરવામાં આવશે.જ્યારે શ્રી પરશુરામ સંગઠન દ્વારા તારીખ 13 ને રવિવારે ભરૂચ જિલ્લાના ભૂદેવો માટે શ્રી પરશુરામ રોજગાર યોજના,ડિસ્કાઉન્ટ યોજના અને રાહત દરે નોટબુક વિતરણ શરૂ કરવામાં આવશે,સાથે નિઃશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ તેમજ બ્રાહ્મણ સમાજના ગૌરવ સમાન બ્રહ્મરત્નોનું સન્માન સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!