best news portal development company in india

નબીપુર કુમારશાળા અને કન્યાશાળાના ધો.૮ ના બાળકોનો વિદાય સમારંભ યોજાયો

SHARE:

– હાઈસ્કુલમાં અભ્યાસ અર્થે જનાર બાળકોને શાળા પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવાઈ

(સલીમ કડુજી,નબીપુર)

સરકારની શૈક્ષણિક નીતિ મુજબ ધોરણ ૮ સુધીના બાળકો પ્રાથમિક શાળામાં શિક્ષણ લેતા હોય છે અને ધોરણ ૯ થી હાઈસ્કુલમાં શિક્ષણ લેવાનું હોય છે.જેથી ધોરણ ૮ માં અભ્યાસ પૂર્ણ કર્યા પછી બાળકે હાઈસ્કુલમાં પ્રવેશ મેળવવાનો હોય છે. જેથી આજરોજ ભરૂચ જિલ્લાના નબીપુર ગામે આવેલી કન્યાશાળા અને કુમારશાળાના ધોરણ ૮ ના બાળકોએ ચાલુ શૈક્ષણિક વર્ષમાં અભ્યાસ પૂર્ણતાને આરે હોઈ બંને શાળાના બાળકોને ધોરણ ૯ માં પ્રવેશ મેળવવા માટે વિદાય અપાઈ હતી. વિદાય સમારંભમાં બંને શાળાના આચાર્યો અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.બાળકોને વિદાય આપતા તેઓએ બાળકોના ભવિષ્ય મારે શુભેચ્છાઓ પાઠવી હતી.બાળકો પોતાના જીવનમાં સફળતાનું વધુ એક પગથિયું ચડવા જતા ખુશખુશાલ જોવા મળ્યા હતા.શાળા પરિવારોએ ભળકોને આગળની સફળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!