– વાલિયાના ઉમરગામ ખાતે યોજાયેલ ગ્રામ સભાનો ગ્રામજનોએ ઠરાવ કરી વિરોધ નોંધાવ્યો
ભરૂચ,
ભરૂચ જીલ્લાના વાલિયા તાલુકાના વિવિધ ગામોમાં GMDC દ્વારા ગ્રામસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જે ગ્રામ સભાઓનો ગામે ગામ વિરોધ કરવામાં આવી રહ્યો છે.ત્યારે આજે ઉમરગામની પ્રાથમિક શાળા ખાતે પ્રાંત અધિકારી કે.વી.ગામીત, GMDC બ્રિગેડિયર અજય પ્રકાશ રાવત,લેન્ડ સેલના અધિકારી આશિષ રાવલ,મામલતદાર શ્રધ્ધા નાયક,વિકાસ અધિકારી વૈશાલી રાવ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ સીતાબેન વસાવા તેમજ ગામના સરપંચ સહિત અધિકારીની ઉપસ્થિતમાં ગ્રામસભા મળી હતી.જેમાં ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ ગ્રામસભાનો વિરોધ નોંધાવ્યો હતો અને ઠરાવ કરી આ વિસ્તાર બંધારણની પાંચમી અનુસૂચિત હેઠળ સુરક્ષિત હોવાથી લિગ્નાઈટ પ્રોજેકટ માટે તેનું સંપાદન નહીં કરવામાં આવે તેવી માંગ કરવામા આવી છે.
ઉપરાંત આદિવાસી વિસ્તાર આર્થિક,સામાજિક અને પર્યાવરણ તેમજ આદિવાસી અસ્મિતા,પરંપરાગત સંસ્કૃતિને નુકશાન થાય તેમ હોવાથી આવા પ્રોજકેટ અટકાવવામાં આવે તેવી માંગ કરી છે.
ગામના યુવા આગેવાન અરુણ વસાવાએ ગ્રામસભાનો વિરોધ કરતા જણાવ્યું હતું કે જીએમડીસી જે પણ આંકડા બતાવ્યા તે અમારી ભોરી પ્રજાને કંઈક ખબર પણ ના પડી અને આતો એક એવી બીમારી છે કે આજે શરૂઆત થઈ છે આજે લડી લીધું એટલે અધિકારીઓ જતા રહેશે પણ આ લોકો કાલે પાછા બીજો કાયદો લઈને આવશે અને આ જમીન લેવા આવશે એટલે જે પણ રકમ આપે છે તે અમારી પ્રજાને કશું મળતું નથી એટલે અમોને આ પ્રોજેક્ટ મંજૂર નથી.અમારી સરકે પાસે કોઈ માંગ નથી અમોને અમારું ગામ છોડીને જવું નથી અને સરકારી અધિકારીઓને ગામમાં રહેવું હોય તો રહેવા માટે જમીન આપવાનું કહી વિરોધ નોંધાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે GMDC નો વાલિયા તાલુકામાં ઠેર ઠેર ગામોમાં ગ્રામસભાનો વિરોધ થઈ રહ્યો છે.ત્યારે જીએમડીસી પ્રોજેક્ટ સ્થાપિત થશે કે નહિ તે એક ચર્ચાનો વિષય છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is