best news portal development company in india

ઝઘડિયાના આમોદ ખાતે પત્નીએ જમવાનું કાઢી નહીં આપતા ઉશ્કેરાયેલા પતિએ ઝપાઝપી કરતા મામલો પોલીસમાં

SHARE:

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા તાલુકાના આમોદ ગામે પતિ પત્ની વચ્ચે નજીવી બાબતે થયેલ ઝઘડો પોલીસ મથકે પહોંચ્યો હતો.

રાજપારડી પોલીસ માંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના આમોદ નવી વસાહત ખાતે રહેતી મનિષાબેન વસાવા નામની યુવતીના લગ્ન વાંકોલ ગામે થયા હતા.લગ્ન જીવન દરમ્યાન મનિષા બે સંતાનોની માતા બની હતી.ત્યાર બાદ છેલ્લા પાંચેક વર્ષથી મનિષા પતિ અને બાળકો સાથે આમોદ ખાતે પિયરમાં માતા પિતાને ત્યાં રહેતી હતી.મનિષાનો પતિ કરમશીંગભાઈ વસાવા રીક્ષા ચલાવવાનો વ્યવસાય કરે છે.ગત તા.૨ જીના રોજ બપોરના ત્રણેક વાગ્યાના સમયે કરમશીંગભાઈ ઘરે આવ્યો હતો અને તેની પત્ની મનિષાને જમવાનું કાઢી આપવાનું કહ્યું હતું. મનિષાએ તેના પતિને કહેલ કે તમારી જાતે જમવાનું કાઢી લો.આ સાંભળીને કરમશીંગભાઈ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો બોલીને પત્ની મનિષા સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. મનિષાની માતા કપીલાબેન છોડાવવા વચ્ચે પડતા કરમશીંગભાઈ સાસુ કપીલાબેન સાથે પણ ઝપાઝપી કરવા લાગ્યો હતો અને કપીલાબેનને ગળેથી પકડી લઈને કાન ખેંચી કાઢતા કાનમાં ઈજા થઈ હતી.ઈજાગ્રસ્ત કપીલાબેનને સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઈ જવાયા હતા.આ સંદર્ભે મનિષાબેન વસાવાએ તેના પતિ કરમશીંગભાઈ કનુભાઈ વસાવા હાલ રહે.આમોદ નવી વસાહત તા.ઝઘડિયા અને મુળ રહે.વાંકોલ તા.નેત્રંગના વિરુધ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!