best news portal development company in india

ભરૂચ તાલુકાના ઝનોર અને સિંધોત ગામેથી દીપડા પાંજરે પુરાયા

SHARE:

– પાંજરે પુરાયેલા બંને દીપડાને સુરક્ષિત કેરવાડા રેન્જમાં છોડવામાં આવ્યા

ભરૂચ,

ભરૂચ તાલુકાના ઝનોર અને સિંધોત ગામની સીમ માંથી વન વિભાગે બે દીપડાના રેસ્ક્યુ કરી સુરક્ષિત ઝડપી પાડી બંનેને કેરવાડા રેન્જ ખાતે છોડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના સિંધોત ગામે ૨ જી એપ્રિલના રોજ અરવિંદભાઈ પઢિયારની બે માસની વાછરડીનું દીપડાએ મરણ કરતા પશુપાલકો સહિત ગ્રામજનોમાં ભયનો માહોલ ઉભો થયો હતો.જેથી બનાવની જાણ વન વિભાગને કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દીપડાને ઝડપી પાડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.જે બાદ ૫ મી એપ્રિલના રોજ વહેલી સવારે દીપડો પાંજરે પુરાઈ જતા વન વિભાગના ફોરેસ્ટર એચ પી યાદવ અને ઈન્ચાર્જ ફોરેસ્ટર વિશાલ ચૌહાણ દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.તો બીજા બનાવમાં ઝનોર ગામે પણ દીપડાના આંટાફેરા ને લઈને ગ્રામજનોએ વન વિભાગને રજૂઆત કરતા વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.જેમાં પણ દીપડો પાંજરે પુરાઈ ગયો હતો.

ભરૂચ તાલુકાના સિંધોત અને ઝનોર ગામેથી પાંજરે પુરાયેલા દીપડા ૪ વર્ષીય અને ૫ વર્ષીય બંને સ્વસ્થ હોય જેને ચિપ લગાડી આરએફઓ મહાવીર ડાભીની માર્ગદર્શન હેઠળ કેરવાડા રેન્જમાં સુરક્ષિત છોડવામાં આવ્યા હતા.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!