મુંબઇ : સલમાન ખાન હાલનો પ્રભાવ બોક્સઓફિસ પર ઓસરી રહ્યો છે. તેવામાં તે પોતાની હિટ ફિલ્મ બજરંગી ભાઇજાન ટુની તૈયારી કરી રહ્યો હોવાની ચર્ચા છે. તેના નજીકના સૂત્રોના અનુસાર સલમાન બજરંગી ભાઇજાનના લેખક વિજયેન્દ્ર પ્રસાદ સાથે ચર્ચા-વિચારણા માટે મુલાકાતો કરી રહ્યો છે.
જોકે હજી સુધી કોઇ અંતિમ નિર્ણય લેવાયો નથી તેમજ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.
સલમાન પાસે થોડા દિવસો પહેલા જ વિજયેન્દ્ર પ્રસાદ એક આઇડિયા લઇને આવ્યો છે અને હવે તેના પર વાતચીત શરૂ થઇ ગઇ છે. કહેવાય છ ેકે, તેમની આ મુલાકાતો બજરંગી ભાઇજાન ટુ માટે હોઇ શકે છે.
જો આમ થશે તો બજરંગી ભાઇજાનની ટીમ સલમાન, કબીર ખાન અને વી. વિજયેન્દ્ર પ્રસાદની ટીમ ફરી સાથે કામ કરતા જોવા મળશે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is