(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ઘાટે નર્મદા ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા ખાતે સવારે પહોંચ્યા હતા અને મા નર્મદા મૈયાનું વિધિવત પૂજન કર્યું હતું. તેમની સાથે ભરૂચના સાંસદ મનસુખ વસાવા,જશુ રાઠવા,ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ જિલ્લા ભાજપા પ્રમુખ નીલ રાવ સહિત અધિકારીઓ જોડાયા હતા.
રણછોડજી મંદિરની મુલાકાત લીધી હતી અને દર્શન કર્યા હતા અને ગુજરાત વિકાસ યાત્રાધામ બોર્ડ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને પરિક્રમાવાસીઓને મળ્યા હતા અને તેમના પ્રશ્નો સાંભળ્યા હતા ઉત્તમ સુવિધા આપવાનો પ્રયાસ કરીશું અને આવતા વર્ષે વધુ ઉત્તમ સુવિધા પરિક્રમાવાસીઓને મળશે એવો ગુજરાત સરકારનો પ્રયાસ રહેશે એમ જણાવ્યું હતું.તેમણે વ્યવસ્થાનું નિરીક્ષણ ક્ર્યું હતું તેમજ માં નર્મદાની પૂજા અર્ચના કરી શહેરાવ ઘાટ સુધી પગપાળા પરિક્રમા પણ કરી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે, પરિક્રમાર્થીઓ-શ્રદ્ધાળુઓની સુગમતા અને સરળતા માટે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ હંગામી સુવિધાઓ પરિક્રમામાં ઊભી કરાઈ છે. ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાના માર્ગમાં નર્મદા નદીના શહેરાવ ઘાટ, રેંગણ ઘાટ, રામપુરા ઘાટ અને તિલકવાડા ઘાટ આવ્યા છે. જ્યાં બોટ જેટી, ડોમ, પંખા, લાઈટ, બેરીકેટિંગ, ચેન્જિંગ રૂમ, સીસીટીવી કેમેરા, સીનિયર સિટીઝન માટે બેઠક વ્યવસ્થા, પાણી વગેરેની સુવિધા પૂરી પાડવામાં આવી છે.
પુણેથી પધારેલ પરિક્રમા વાસી દેવેન્દ્ર દીક્ષિતે જણાવ્યું જણાવ્યું હતું કે દિલ્હીમાં નરેન્દ્ર, ગુજરાતમાં ભૂપેન્દ્ર અને મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ત્રણેયનો સુશાસન હોવાથી ઉત્તમ સુવિધાઓ લોકોને મળી રહી છે ચાલુ વર્ષે નર્મદા પરિક્રમા ની ઉત્તમ સુવિધા ગુજરાત સરકારે કરી છે તે માટે હું એમનો આભાર માનું છું.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પરિક્રમાવાસીઓ સાથે સીધો સંવાદ કરી વાર્તાલાપ કર્યો હતો.જેમાં
પરિક્રમાવાસીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેશભરમાં અને ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ધાર્મિક યાત્રાધામ, પરિક્રમા માટેની ઉત્તમ સુવિધા હોવાનું જણાવી સરકારનો આભાર માન્યો હતો. મુખ્યમંત્રીએ નર્મદા પરિક્રમા માં માટે દર વર્ષે ઉત્તમ સુવિધાઓ આપવાની ખાત્રી આપી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is