best news portal development company in india

જંબુસરમાં જીલ્લા ભાજપ પ્રમુખના અઘ્યક્ષ સ્થાને સક્રિય સદસ્ય સંમેલન યોજાયું

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

જંબુસરમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખના અઘ્યક્ષ સ્થાને ૧૫૦ જંબુસર વિધાનસભાનું સક્રિય સદસ્ય સંમેલન યોજાયું હતું.જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને ભાજપાનાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

આ પ્રસંગે ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,ભરૂચ જીલ્લા પ્રભારી અશોક પટેલમહામંત્રી ફતેસિંહ ગોહિલ,ધારાસભ્ય ડી.કે.સ્વામી,પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા સહિતનાં લોકોનું જંબુસર શહેર ભાજપનાં લોકોએ ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે ભરૂચ જીલ્લા મહામંત્રી ફતેસિંહ ગોહિલે જણાવ્યું હતું કે નાનામાં નાની કામગીરીને પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરે સ્વીકારવી પડશે.જેમાં ઈમાનદારીથી કામ કરવુ પડશે. જવાબદારી સાથે ઈમાનદારીથી નિભાવવી પડશે.

ધારાસભ્ય ડી.કે.સ્વામીએ જણાવ્યુ હતુ કે સક્રિય સભ્યનું કામ નાનું સુનું નથી.જે જાગતો હોય તેનુ નામ સક્રિય.આપણે સૌ જગીએ છીએ એટલે ગામડાથી લઈ દેશ સુઘી આપણી સરકાર છે.સેવા સાથે સત્તા સાથે જોડાયેલા છે.સરકારની નાનામાં નાની યોજનાનો લાભ લેવા માટે આ સિસ્ટમ છે.જેમાં નાનામાં નાના કાર્યકરોને મહત્વ આપવામા આવે છે.

જીલ્લા પ્રભારી અશોક પટેલે જણાવ્યુ હતું કે ભારતીય જન સંઘથી ભાજપની સ્થાપના થઈ ત્યાર બાદ પાર્ટીએ સદાય પ્રગતિ કરી છે.

ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ કાર્યકરોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે

નાનામાં નાના કાર્યકરને પણ ઉચ્ચ પદવી મળી શકે છે.ચલો ગામ અભિયાનમાં જોડાઈ જવાનું છે.સમાજના છેવાડાનાં માનવી વચ્ચે પહોચી કામ કરવાનું છે.આભાર વિધિ કુલદીપસિંહ યાદવ દ્વારા તથા કાર્યક્રમનું સફળ સંચાલન કૃપાબેન દોશી દ્વારા કરાયુ હતું.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!