મુંબઇ : આમિર ખાનની પ્રોડક્શન કંપની દ્વારા બનાવાઈ રહેલી અને સની દેઓલની મુખ્ય ભૂમિકા ધરાવતી ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે પરંતુ હવે આમિરે ફિલ્મમાં કેમિયો કરવાનું છેલ્લી ઘડીએ નક્કી કરતાં ફિલ્મની રીલિઝ ઠેલાય તેવી સંભાવના છે. નિર્માતા તરીકે આમિર ફિલ્મને એડિટ કરીને થોડો ફેરફાર કરવા માંગે છે આમિરે ફિલ્મના રફ કટ જોયા પછી તેને એક વિશેષ કેમિયોની જરૂર લાગી છે. હવે તેના માટે ફરી શૂટિંગ કરવાની નોબત આવશે. આમિર ખાને સની દેઓલની ‘ગદ્દર ટૂ’ની સફળતાની પાર્ટી દરમિયાન ‘લાહોર ૧૯૪૭’ની ઓફર આપી હતી. જે સની દેઓલને પસંદ પડી હતી અને તે આ ફિલ્મમાં કામ કરવા રાજી થઇ ગયો હતો.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is