(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
રાજપીપલા નજીક જીતગઢ ખાતે આવેલો કરજણ ડેમ ભરૂચ અને નર્મદાના ખેડૂતોની જીવાદોરી ગણાય છે.હાલ ઉનાળામાં મોટા ભાગના જળાશયોમાં ગરમીને કારણે પાણીનો સંગ્રહ ઘટી રહ્યો છે.ત્યારે નર્મદાના એક માત્ર કરજણ ડેમમાં પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.કરજણ ડેમમાં અત્યારે ૭૦ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.ખાસ કરીને સિંચાઈ માટે આ ડેમનું પાણી ખૂબ ઉપયોગી છે.કરજણ ડેમ પોણા ભાગનો ભરેલો હોઈ હજી ચોમાસા સુધી ચાલે એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.ઉનાળામાં પણ ખેડૂતોને સિંચાઈ માટે જરૂરિયાત પ્રમાણે પાણી છોડવામાં આવે છે.
રાજપીપલા ખાતે કરજણ કિનારાના ખેડૂતોને ઉનાળુ પાક માટે ઉપયોગી થઈ પડે એ માટે નદીના હેઠવાસમાં પાણી હાલ ડેમ માંથી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. ઉપરાંત કરજણ જળાશયના જમણા કાંઠાની નહેરમાં પણ ૪૦ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.કરજણ ડેમમાં હજી ચોમાસા સુધી ચાલે એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે આમ ઉનાળુ પાક માટે કરજણ જળાશયનું પાણી આશિર્વાદ રૂપ છે. સાચા અર્થમાં ખેડૂતો માટે કરજણ ડેમ આશિર્વાદરૂપ પુરવાર થયેલ છે.
કરજણ ડેમનો લાઈવ સ્ટોરેજ ૩૩૯.૮૪ મિલિયન ઘન મીટર છે અને ગ્રોસ સ્ટોરેજ ૩૬૩.૮૫ મિલિયન ઘન મીટરછે.કરજણડેમની સપાટી ૧૦૮.૬૩ મીટર છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is