best news portal development company in india

AIA ના પ્રમુખ દ્વારા સહપરિવાર શ્રી ખોડલધામ મંદિર કાગવડ ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું

SHARE:

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

શ્રી ખોડલધામ મંદિર કાગવડ ખાતે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે રહેતા અને શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટી,એશિયાની સૌથી મોટી અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ હિંમત શેલડીયા અંકલેશ્વર તથા મોટી સામઢિયાર અમરેલી પરીવાર દ્વારા શ્રી ખોડલધામ મંદિર કાગવડ ખાતે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં માતાજીના થાળ,વાધા,રથ,ઘ્વજા સાથે અંકલેશ્વરના અને હિંમત શેલડીયાના વતની મોટા સમઢિયાળા અમરેલી જીલ્લાના પરિવારના વડીલો સહિત ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી પંકજ ભુવા અંકલેશ્વર સહિત સમાજના ૧૫૦ થી વધુ લોકો ખોડલધામ ધ્વજારોહણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

આ પ્રસંગે કાગવડ ખાતે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટી ગોપાલ રૂપાપરા, હસમુખ લુણાગરિયા દ્વારા એશિયાની સૌથી મોટી અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ હિંમત શેલડીયા અને નોટિફાઈડ બોર્ડ અંકલેશ્વરના ચેરમેન અમુલખ મોરડીયાનું શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા અભિવાદન કર્યું હતું.સાથે સરદાર પટેલ સેવા સમાજ અંકલેશ્વરના પ્રમુખ હસમુખ દુધાતનું પણ અભિવાદન કર્યું હતું.સાથે ઉપસ્થિત સૌને ખોડલધામ ટ્રસ્ટ કાગવડના પ્રકલ્પો જેવાકે અમરેલી (રાજકોટ) ખાતે આકાર પામનાર કેન્સર હોસ્પિટલ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આકાર પામનાર સંકુલ, સંડેર (પાટણ) ખાતે આકાર પામનાર શૈક્ષણિક હબ, અમદાવાદ તેમજ સુરત ખાતે બનનાર ખોડલધામ સંકુલો બાબતે અને ખોડલધામના વિચારોથી અવગત કર્યા હતા.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!