ભરૂચ,
આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ સંચાલિત દત્ત મંદિર નવાડેરા ખાતે આયુર્વેદિક અને હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો.
શ્રી પરશુરામ સંગઠન દ્વારા પ્રતિ વર્ષ વિવિધ સામાજિક કાર્યક્રમો આયોજિત કરી શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે.જે અંતર્ગત આરોગ્ય પરિવાર અને કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર, નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ સંચાલિત દત્ત મંદિર નવાડેરા ખાતે આયુર્વેદિક અને હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો.જેમાં સરકારી હોમીયોપેથી દવાખાના જનરલ હોસ્પીટલના મેડિકલ ઓફિસર ડોક્ટર કેતન પટેલ, આયુર્વેદિક દવાખાનાના મેડિકલ ઓફિસર ડોક્ટર ક્રિષ્નાબેને સેવાઓ આપી હતી અને ઋતુજન્ય રોગોની નિઃશુલ્ક તપાસ કરી દવાઓ આપવામાં આવી હતી.અંદાજિત ૧૦૦ થી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો.
આ પ્રંસગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ, શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના ટ્રસ્ટી રવિન્દ્ર હિન્દીયા,અશ્વિન હિન્દીયા, શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક સદસ્ય હરેશ પુરોહિત, રાજકુમાર દુબે,ધરમભાઈ સહીતના સભ્યો ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is