best news portal development company in india

ઝઘડિયા બીઆરસી ભવન ખાતે સીઈટી-૨૦૨૫ માં પાસ થયેલ વિદ્યાર્થીઓના વાલી શિક્ષકોનો સેમિનાર યોજાયો

SHARE:

– સેમિનારમાં સીઈટીમાં પાસ થઈ કામ ચલાઉ મેરીટ યાદીમાં સમાવેશ થયેલા વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા બીઆરસી ભવન ખાતે ગતરોજ ધોરણ-૫ ના જે વિદ્યાર્થીઓ સીઇટી-૨૦૨૫ (CET) માં પાસ થઈ કામ ચલાઉ મેરીટ યાદીમાં સમાવેશ થયેલ છે તે વિદ્યાર્થીઓના વાલીઓ,માર્ગદર્શક શિક્ષક,શાળાના આચાર્ય અને સી.આર.સી કોઓડીનેટર માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆતમાં ઝઘડિયા બીઆરસી કોઓર્ડીનેટર રાજીવભાઈ દ્વારા આવેલ વાલીઓ, આચાર્યો અને સીઆરસી કોઓર્ડીનેટર તથા ઈએમઆરએસ (એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ-EMRS) ઝઘડીયાના આચાર્ય હરિરામ ગોડારા નું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ તેમણે ઝઘડિયા બ્લોક માંથી સીઈટી પરિણામના આધારે પહેલી મેરીટ યાદીમાં સમાવિષ્ટ ૨૦૨ બાળકોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.ત્યાર બાદનુ સેશન સીઆરસી કોઓર્ડીનેટર ઝઘડિયા પીન્ટુભાઈ દ્વારા લેવામાં આવ્યું હતું.જેમાં તેમણે ધોરણ ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે મળવાપાત્ર વિવિધ સરકારની યોજનાઓ જેવી કે જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ,જ્ઞાનશક્તિ ટ્રાઈબલ રેસીડેન્સીયલ સ્કૂલ,રક્ષા શક્તિ સ્કૂલ, ઈએમઆરએસ (એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ) અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.જે અંતર્ગત તેમણે જણાવ્યું હતું કે આ તમામ યોજનાઓમાં ધોરણ ૬ થી ૧૨ સુધી વિદ્યાર્થીઓને વિનામૂલ્ય અભ્યાસની જોગવાઈ છે અને દરેક યોજનામાં વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન, ચોઈસ ફીલિંગમાં વિદ્યાર્થીઓને તેમની જાતિવાર, જેન્ડર અને લાયકાત સાથે સુસંગત થતી યોજનાઓનો લાભ કઈ રીતે લઈ શકાય તેની સમજૂતી આપવામાં આવી હતી.ઈએમઆરએસ ઝઘડીયા ના આચાર્ય હરિરામ ગોડારા દ્વારા ઈએમઆરએસ શાળામાં મળતી સુવિધાઓ તેમજ શાળામાં ચાલતી વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિની સમજ આપવામાં આવી અને ઈએમઆરએસ ઝઘડિયામાં ઝઘડિયા તાલુકાના વધુમાં વધુ વિદ્યાર્થીઓ લાભ લે તે માટે અપીલ કરવામાં આવી હતી.

અંતે બીઆરસી કોઓર્ડિનેટર રાજીવ પટેલ દ્વારા તમામ યોજનાઓમાં લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો જેવા કે જન્મનું પ્રમાણપત્ર, નિવાસસ્થાન પ્રમાણપત્ર,જાતિનું પ્રમાણપત્ર, દિવ્યાંગતાનું પ્રમાણપત્ર,અનાથ બાળક હોય તો માતા-પિતાના મરણ નો દાખલો તેમજ લાગુ પડતા તમામ પ્રમાણપત્રો નિયત સમય મર્યાદામાં તૈયાર રાખવા માટે વાલીઓ અને શિક્ષકોને ખાસ સુચન કર્યું હતું.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!