– ભગવાન મહાવીર ચરિત્ર નિબંદ સ્પર્ધા તેમજ નમસ્કાર મહામંત્રના જાપ યોજાયા
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
રાજપીપલા ખાતે જૈન ભક્તો દ્વારા ભગવાન મહાવીર જ્યંતી ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવાઈ હતી.જેમાં સવારે પ્રભાત ફેરી નીકળી હતી.જેમાં અહિંસા પરમો ધર્મોના લખાણ સંદેશા વાળી ધજા સાથે ભક્તો પ્રભાતફેરીમાં જોડાયા હતા જે લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી. રાજપીપલા જૈનસંઘ પાઠશાળા દ્વારા મહાવીર જન્મ કલ્યાણની હર્ષભેર ઉજવણી કરાઈ હતી.જેમાં બહેનો દ્વારા જન્મ કલ્યાણક પૂજા, ભગવાની વિવિધ અંગ રચનાઅંગી, બાળકો દ્વારા ભગવાન મહાવીર ચરિત્ર નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.શ્રી સંઘનું સ્વામીવાસ્તલાય રાત્રે પ્રભુ ભક્તિને નમસ્કાર મહામંત્રના જાપ કરાયા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is