(જયશીલ પટેલ,ઝઘડિયા)
વિશ્વની એકમાત્ર જીવંત નદીનું બિરુદ નર્મદાને મળ્યું છે.એટલું જ નહીં ગંગા સ્નાને, યમુના પાને જ્યારે નર્મદાના દર્શન માત્રથી જ પાપનો વિનાશ થાય છે. ત્યારે ફાગણ વદ અમાસથી શરૂ થયેલ નર્મદા જીલ્લામાં આવેલ એક માત્ર પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થયો હતો.ત્યારે રોજ હજારો ભક્તો આ પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરી રહ્યા છે.ત્યાર ભરૂચ જીલ્લાના ઝઘડિયાના ત્રિશિવસિંહ પરમારે નાની ઉંમરે પ્રથમ ૨૧ કિલો મીટર ચાલીને આ નર્મદા પરિક્રમા પૂર્ણ કરી નાની ઉંમરે પુણ્યનું ભાથું મેળવ્યું છે.
નર્મદા પુરાણમાં નર્મદા પરિક્રમાનુ વિષેશ ઘાર્મીક મહત્વ રહેલું છે.ગુજરાતમાં માંગરોળ ખાતે નર્મદા તટે એકમાત્ર ઉત્તરવાહીની નર્મદા આવેલી છે.ચૈત્ર માસમાં પંચકોશી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાનુ વિષેશ મહત્વ હોય છે.રાજપીપળાના રામપોરથી નર્મદા પરીક્રમાં શરૂ થાય છે.જેમાં મોટી સંખ્યામાં દુર દુર થી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા કરવા ભક્તો ઉમટી રહ્યા છે.ત્યારે મોટી સંખ્યામાં ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા કરવા લોકો જઈ રહ્યા છે.જેમાં ઝધડિયા ગામે રેહતા ત્રિશિવસિંહ પરમાર તેમના પરિવાર સાથે ૫ વર્ષની ઉમરમાં પહેલીવાર ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરી છે. ઉત્તરવાહીની નર્મદા પરિક્રમા પૂર્ણ કરીને ધન્યતા અનુભવી હતી.આ પરિક્રમા ૩ વાર કરવાથી ૩૭૫૦ કિલો મીટર પગપાળા પરિક્રમા કરવાનુ ફળ મળે છે અને ૭૧ પેઢીનો મોક્ષ મળે છે.જેના દર્શન માત્રથી પવિત્ર થવાય તેવી એક માત્ર ઉત્તરવાહિની ગુજરાતમા નર્મદા જીલ્લામા આવેલી છે.હાલ ચૈત્ર માસમા દૂર દૂરથી મોટી સંખ્યામા સાધુ – સંતો મહંતો, ભક્તો, શ્રધ્ધાળુઓ, પરિક્રમાવાસીઓ માત્ર એક દિવસીય ૨૧ કિલો મીટરની પંચકોશી નર્મદાની પરિક્રમા કરી ઘન્યાતા અનુભવી રહ્યા છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is