– બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર મધુકર પાડવી અને પ્રો.સતુંપતિ પ્રસના ને આપવામાં આવ્યો.રત્નસિંહ મહિડામેમોરીયલ એવોર્ડ એનાયત કર્યા
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લાના શિક્ષણ જગત ના સિંહ ગણાતા સ્વ.રત્નસિંહ મહિડા ના નામે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના હસ્તે આજે રાજપીપલા ખાતે રત્નસિંહ મહિડા મેમોરીયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.જેમાં આ વર્ષે આ એવોર્ડ શિક્ષણ જગત માં કરેલ સારી કામગિરી માટે બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર મધુકર પાડવી અને પ્રો.સતુંપતિ પ્રસના ને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આપવામાં આવ્યાં હતા.
મુખ્યમંત્રીએ સ્વ.રત્નસિંહ મહિડા ની શિક્ષણની સેવાને બિરદાવી હતી.જેમની ભરૂચ અને નર્મદા જિલ્લામાં 72 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ ચાલે છે.આ એવોર્ડનો વિચાર તેમના પૌત્રી વિરાજબા મહિડાને આવ્યો અને આ બિરસા મુંડા જન્મ જ્યંતી વર્ષ માં તેની શરૂઆત કરવામાં આવી.રત્નસિંહ મહિડા કે જેમણે આદિવાસી વિસ્તારમાં માં શિક્ષણ નો વ્યાપ વધાર્યો હતો અને હાલ પણ તેમની સંસ્થાઓ થકી આદિવાસી વિસ્તારના બાળકો વિના મૂલ્યે શિક્ષણ લઈ રહ્યા છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is