best news portal development company in india

સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત વિદ્યાભવનમાં વિશ્વ કલા દિવસ નિમિત્તે ભારતીય કલા પ્રદર્શની યોજાઈ

SHARE:

ભરૂચ,
વિશ્વ કલા દિવસની ઉજવણીના અનુસંધાને રંગટા વિદ્યાભવન ખાતે તા. ૧૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ સુંદર અને રંગબેરંગી ભારતીય કલા પ્રદર્શની યોજાઈ હતી. આ કલા પ્રદર્શનીનો આયોજન તેમજ સંચાલન ધોરણ ૬ થી ૮ના હૂનરમંદ અને ઉત્સાહી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓએ વિવિધ ભારતીય કલાઓ જેવા કે મઢુબણી, વારલી, પાટચિત્ર, રાજસ્થાની મીનીએચર, અને ફોક આર્ટનો સુંદર પ્રદર્શન કર્યું હતું. તેમની રચનાઓમાં ભારતીય સંસ્કૃતિની ઝલક, સદભાવના અને સૃજનાત્મકતાનો અદભુત સમન્વય જોવા મળ્યો હતો.શાળાના આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓના પ્રયાસોની ખૂબ પ્રશંસા કરી અને આવાં કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં છુપાયેલા પ્રતિભા ઊજાગર થાય તેમ જણાવી શાળાના તમામ સ્ટાફ અને પેરન્ટ્સનું સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો.આ કાર્યક્રમને જોવા માટે સંસ્થાના સ્ટાફ, પેરન્ટ્સ તેમજ શહેરના કળાપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓને ઉત્સાહભેર અભિનંદન પાઠવ્યા હતા.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!