નર્મદા જિલ્લાના ચાપટ ગામના પેટા ફળિયામાં રહેતા ઇસિદ્રભાઈને સાપ કરડતા રોડના અભાવે ઝોલીમાં નાંખીને દવાખાને લઈ જવા પડ્યા હતાં. આ ઘટના સામે આવ્યા બાદ નર્મદાનો વિકાસ ફરી એકવાર સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ, નર્મદા જિલ્લાના ચાપટ ગામના પેટા ફળિયામાં ઇસિદ્રભાઈ વસાવાને સાપ કરડ્યો હતો. સાપ કરડ્યા બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. પરંતુ, રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકે તેમ ન હતી. તેથી, આશરે 10 કિ.મી સુધી ઈસિદ્રભાઈને ઝોળીમાં નાંખીને મુખ્ય રોડ સુધી લાવવામાં આવ્યા. મુખ્ય માર્ગ પરથી બાદમાં તેમને ખાનગી વાહનમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. હાલ, હોસ્પિટલમાં તેમની સારવાર થઈ રહી છે.
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાનું ચાપટ ગામ અંતરિયાળ જંગલ વિસ્તારમાં આવેલું છે. આ ગામમાંથી મુખ્ય રસ્તા સુધી પહોંચવા માટે 10 કિલોમીટર સુધી જંગલમાંથી પસાર થવું પડે છે. જેથી, ગામમાં કોઈ એમ્બ્યુલન્સ જેવું વાહન પણ આવી શકતું નથી. આ ગામથી મુખ્ય રસ્તા સુધી પહોંચવા કોઈ પાક્કો રસ્તો બનાવવામાં નથી આવ્યો.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is