best news portal development company in india

ભરૂચ પાલિકાના ફાયર વિભાગ દ્વારા અગ્નિશમન સેવા દિવસની ઉજવણી કરાઈ

SHARE:

ભરૂચ,
ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા અગ્નિશમન સેવા દિવસની ઉજવણી અંતગર્ત ફાયરના વિવિધ સાધનો સાથે રેલી યોજાઈ હતી.
૧૪ એપ્રિલ ૧૯૪૪ ના રોજ મુંબઈ ડોકયાર્ડમાં ઇંગ્લેન્ડથી આવેલા એસ.એસ. ફોર્ટ સ્ટાઈકિન નામના બ્રિટિશ માલવાહક જહાજમાં ધુમ્રપાનના તણખામાંથી અચાનક પ્રચંડ ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી.ત્યારે જહાજમાં રહેલા માલ સામાન અને લોક સલામતી કાજે આગ બુજાવાની કામગીરીમાં મુંબઈ ફાયરબ્રિગેડના ૬૫ જવાનો લોક સલામતી કાજે પોતાની જાનનું બલિદાન આપ્યું હતું.આ શહીદોની યાદમાં ભારત સરકાર દ્વારા દર વર્ષે ૧૪ મી એપ્રિલના રોજ અગ્નિશમન સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.ત્યારે ભરૂચ નગરપાલિકાના ફાયર સ્ટેશન ખાતે તમામ યંત્રો મૂકી ફુલહાર કરી શહીદોના બલિદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!