આમોદ,
આમોદમાં બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડૉ.બાબા સાહેબ આંબેડકરની ૧૩૪ મી જન્મ જયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.ધારાસભ્ય ડી.કે સ્વામીએ બાબા સાહેબને ફૂલહાર અર્પણ કરી ‘ડૉ.બાબા સાહેબ આંબેડકર અમર રહો,’ ‘જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા’ના સૂત્રોચ્ચાર સાથે ગગનભેદી નારા લગાવ્યા હતાં.તેમની સાથે આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી પ્રમોદ પટેલ,આમોદ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો,આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ સહિત ભાજપના આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના લોકોએ પણ ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ,કેતન મકવાણા સહિતનાં આગેવાનોએ ફૂલહાર ચઢાવી બાબા સાહેબને વંદન કર્યા હતાં.ડૉ.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી પ્રસંગે દલિત આગેવાનો મોટી સંખ્યામા હાજર રહી આમોદમાં આવેલી ડૉ.બાબા સાહેબ આંબેડકરની બંને પ્રતિમાને ફુલહાર ચઢાવ્યા હતા.આ પ્રસંગે ભરત તલાટી, ગીરીશભાઈ મકવાણા, મણીલાલ પંડ્યા,ઘેલાભાઈ પરમાર, મનહરભાઈ સોલંકી,સહિતના દલિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is