– નર્મદા પરીક્રમાના રૂટ પર તંત્રનાં અધિકારીઓ સાથે પણ ભાજપના ૫ કાર્યકરો મદદ માટે હાજર રહેશે : ભાજપાના માનવતાવાદી અને સેવાભાવી અભિગમને લોકોએ બિરદાવ્યો
(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
નર્મદા પરીક્રમા દરમ્યાન શનિવારે અચાનક લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા અવ્યવસ્થા સર્જાઈ હતી.આ ઘટના બાદ આવનારા સમયમાં બીજી વાર આમ ન બને એ માટે નર્મદા ભાજપ પ્રમુખ નીલ રાવે તંત્ર સાથે સંકલન કરી ભાજપના કાર્યકરોની એક બેઠક બોલાવી હતી.
નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે પરિક્રમના રૂટ પર આવતા પોઈન્ટ ઉપર ૫ – ૫ભાજપના કાર્યકારોની ટીમ મુકી દીધી છે.કુલ ૧૦૦ થી વધુ ભાજપ કાર્યકરો જ્યાં સુધી પરીક્રમા પુર્ણ ન થાય ત્યાં સુધી તંત્ર સાથે રહી લોકોને મદદ કરશે.નીલ રાવે જણાવ્યું હતું કે અમે ભદામ, રુંઢ, લાછરસ એન્ટ્રી પોઈન્ટ ખુલ્લો કરવા, સમારીયા રસ્તો પિચિંગ કરી ખુલ્લો કરવા, ધનેશ્વર મહાદેવ રોડ, ગોપાલેશ્વર મહાદેવ રોડ, રેંગણ ઘાટ, નાવડીમાં વેઈટીંગ એરિયા પર, કપિલેશ્વર મહાદેવ વાસણ ઘાટ પર, અવધૂત આશ્રમ ગુવાર પર પાણીની પરબ મુકવા તથા સિનિયર સિટીઝનોની અલગ લાઈન કરવા, નાવડીઓમાં વધારો કરવા,બહેનો માટે શૌચાલયોમાં વધારો કરવા, નાવડી પાસે સુરક્ષા વધારવા, રાત્રે ૭ કલાકે લાઈટો ચાલુ કરવા, જેટી પાસે સ્ટેન્ડમાં વધારો કરવા તથા જી.આર.ડી પોઈન્ટ મુકવા બાબતે તંત્રને સુચનો કર્યો છે.આ સુચનોનો અમલ થાય તો ગમે તેવી કપરી સ્થિતિમાં પણ લોકો સારી રીતે પરીક્રમા કરી શકે, અને વહીવટી તંત્ર પણ લોકોની સેવા કરી શકે.ભાજપાના માનવતાવાદી અને સેવાભાવી અભિગમને લોકોએ બિરદાવ્યો છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is