(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ભારત સરકારના કેન્દ્રીય વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાતે આવ્યા હતા. જેમાં વિદેશમંત્રીએ દત્તક લીધેલા ગામોની મુલાકાત લીધી હતી.અંદાજે રૂપિયા ૧૧.૬૬ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાપર્ણ કર્યું હતું.
નર્મદા જિલ્લાના પાંચેય તાલુકાઓમાં MPLADS કાર્યક્રમ અંતર્ગત તેઓએ દત્તક લીધેલા વ્યાધર ,આમદલા, લાછરસ, સામોટ અને ભાદોડ તેમજ અન્ય ચાર ગામોમાં અંદાજિત રૂપિયા ૧૧.૬૬ કરોડ જેટલી માતબર રકમના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી જિલ્લાના નાગરિકોને વિકાસની ભેટ આપી છે.એ ઉપરાંત તિલકવાડા તાલુકાના વ્યાધર ગામની મુલાકાત કરી.જ્યાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું નિરીક્ષણ કરી અને મંત્રીની ગ્રાન્ટમાંથી ફાળવેલા વિકાસ કામો નિહાળી પૂર્ણ થયેલા કામોનું લોકાર્પણ કર્યું હતું.જયારે આમદલા ગામે મુલાકાત કરશે.જ્યાં પણ સ્માર્ટ આંગણવાડી, પ્રાથમિક શાળાના સ્માર્ટ ક્લાસરૂમ નિહાળ્યા હતા.ઉપરાંત ગરુડેશ્વર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માટે ફાળવાયેલી નવી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી રવાના કરી હતી.જયારે આજે બીજા દિવસે છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય રાજપીપળા ખાતે પહોંચી તેઓની ગ્રાન્ટમાંથી એક્સપાન્શન કરવામાં આવેલા જિમ્નેશિયમ હોલ અને વિવિધ સ્પોર્ટ્સના સાધનોનું તથા લોકાર્પણ કર્યું હતું અને ખેલાડીઓના જિમનાસ્ટ ખેલનું નિદર્શન કર્યું હતું.ત્યાર બાદ આજે રાજપીપલા પોસ્ટ ઓફિસ પાસ્ટ પોર્ટ ઓફિસની મુલાકાત લીધી હતી અને કામગીરીનું નિરીક્ષણ કરી સંતોષ વ્યક્ત કર્યો હતો.ત્યાર બાદ લાછરસ ગામની મુલાકાત લઈ જ્યાં સ્માર્ટ આંગણવાડી અને પ્રાથમિક શાળાના સ્માર્ટ ક્લાસરૂમનું લોકાર્પણ કરી શિક્ષકો વિદ્યાર્થીઑ સાથે સંવાદ સાધ્યો હતો.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is