best news portal development company in india

ભાજપ માંથી રાજીનામુ આપ્યા બાદ મહેશ વસાવાની પ્રતિક્રિયા : ભાજપની વિચારધારા સાથે અમારો મેળ નથી પડતો

SHARE:

ભરૂચ,

આંબેડકર જયંતિ દિવસે ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી માંથી રાજીનામુ આપ્યા બાદ મહેશ વસાવાની પ્રતિક્રિયા સામે આવી હતી.મહેશ વસાવાએ જણાવ્યું હતું કે ભાજપની વિચારધારા સાથે અમારો મેળ નથી પડતો.

ભાજપને અનેક કોંગ્રેસને અમે વર્ષોથી જાણીએ છીએ.છોટુભાઈ વસાવાની આદિવાસીઓ સામેની લડત છે એની સાથે અમે લડતા રહ્યા છીએ. કુટુંબમાં કલહ હોય પાર્ટીઓમાં ઝઘડા  થાય એ સ્વાભાવિક છે.ત્યારે કોઈનો સહારો લેવો પડતો હોય છે એટલે અમે ભાજપામાં જોડાયા હતા.પાર્ટીમાં જોડાઈને અમે જોયું પણ વિકાસ બાબતે એમાં ભાજપ ખરૂ ઉતર્યું નથી.અમારા વિસ્તારમાં સિંચાઈ માટે નર્મદા અને તાપી નદી એ અમારી મા છે.જેનું પાણી સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી જાય છે.પણ ઉમરગામ થી અંબાજી સુધીના અંદરના તાલુકાઓને પાણી નથી મળતુંએ અમારી માંગ હતી.નર્મદા અને તાપીની વચ્ચે ડેડીયાપાડા, સાગબારા,નેત્રંગ,વાલીયા,ઝઘડીયા,માંગરોળ સોનગઢ આબધાં તાલુકા આવે છે જેને પીવાનું પાણી નથી મળતું એની રજૂઆત અમે કરી હતી.એટલે અમે મનસુખભાઈ ને જીતાડવા ગયા હતા.ભાજપ મતે મહેશ વસાવાનું રાજીનામાંનું ઉતાવળીયું પગલું છે.મનસુખ વસાવાને એમ લાગતું હશે કે થોડોસમય થોભે તો એમને હોદ્દો મળે પણ મને હોદ્દાની પડી નથી.અમને ઘણા હોદ્દા મળ્યા છે.બીટીપીના અધ્યક્ષ બન્યા, અમે બીટીપી બનાવ્યું અમે,ભીલી સ્તાન વિકાસ મોરચા બનાવ્યું અમે સંઘર્ષ કરીને લડયા છીએ ભાજપ છોડ્યા પછી અમે લોકો માટે કામ કરતા રહીશું, લોકો માટે સિંચાઈ,શિક્ષણ,આરોગ્ય, રોજગારીના પ્રશ્નો ઉઠાવતા રહીશું.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!