(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
રાજપીપળા પાસપોર્ટ ઓફિસ સાચા અર્થમા લોકો માટે આશીર્વાદરૂપ બની છે.વિદેશ મંત્રીએસ જયશંકરના પ્રયાસોથી શરૂ થયેલી રાજપીપળા પાસપોર્ટ ઓફિસ આજે ધમધમતી થઈ છે.છ વર્ષમાં ૪૯ હજારથી વધુ લોકોએ પાસપોર્ટનો લાભ લીધો છે.
હાલ રાજપીપળા પાસપોર્ટ ઓફિસમાં રોજના ૩૦ થી ૪૦ લોકો પાસપોર્ટ કઢાવી રહ્યા છે.વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે ૬ વર્ષ પહેલા જયારે હું મંત્રી હતો.ત્યારે પહેલી વાર નર્મદા જિલ્લામાં આવ્યો હતો અને ત્યારે લોકોએ ઘર આંગણે પાસપોર્ટ સુવિધાની માંગ કરી હતી.આજે જ્યારે સુરત, અંકલેશ્વર,ભરૂચ જેવા ગામોના લોકોને પાસપોર્ટ માટે બબ્બે મહિનાઓ સુધી વેઈટિંગમાં ઊભા રહેવું પડે છે.ત્યારે રાજપીપળા પાસપોર્ટ ઓફિસમાં તરત જ પાસપોર્ટ મળી જાય છે.હાલ રાજપીપળા પાસપોર્ટ ઓફિસની બીજી વાર વિદેશ મંત્રીએ મુલાકાત લીઘી છે.પાસપોર્ટ બનાવનાર અને પાસપોર્ટ આપનાર બંને સાથે વિદેશ મંત્રીએ સંવાદ સાધ્યો હતો તેઓના પ્રતિભાવથી વિદેશ મંત્રી ખુશ થયા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is