– ધોળે દિવસે ડૉ.દિલીપ શાહના દવાખાનાની ઉપર બનેલી ઘટના : ચોરીના પગલે ડીવાયએસપીએ ઘટના સ્થળની તપાસ હાથધરી
ભરૂચ,
ભરૂચના સુપર માર્કેટમાં બંધ ફલેટને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના સહીત રોકડ મળી ૧૨.૩૫ લાખની વધુની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.તો ચોરીની જાણ એ ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવતા પોલીસે વધુ તાપસ હાથધરી તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથધરી હતી.
ભરૂચ શહેરના પટેલ સુપર માર્કેટ વિસ્તારમાં આવેલાં ડૉ.દિલીપ શાહના દવાખાનાની ઉપર આવેલાં ફ્લેટ નંબર ૩ અને ૪ માં ૭૧ વર્ષના રંજનબેન પ્રકાશભાઈ અટાલીયા રહે છે.તેઓએ ગત ૧૭ મીએ સવારે સાડા-દશેક વાગ્યાના અરસામાં તેમના ફ્લેટ નંબર ૪ ના ઘરનું રોજીંદુ કામ પુર્ણ કરી તેમણે તેમના ૪ નંબરના ફ્લેટને તાળું મારી ૩ નંબરના બીજા ફ્લેટમાં ગયા હતા.જે બાદ સાંજના સમયે તેઓ કામ અર્થે ૪ નંબરના ફ્લેટમાં આવતાં તેનું તાળું તુટેલું જણાયું હતું.તેમણે ઘરમાં જઈ તપાસ કરતાં તેમની સામાન મુકવાની પતરાની પેટીનું તાળું પણ તુટેલું હતું તેમજ તેમાંથી સોનાની ૪ બંગડી,૨ સોનાની ચેઈન, ૨ સોનાના કંગન,૬ સોનાની ચુડી,૧ ચાંદીનો કંદોરો, ૧ સેટ ચાંદીની થાળી-વાટકીનો તેમજ ૧.૫૦ લાખ રૂપિય રોકડા મળી કુલ ૧૨.૩૫ લાખની વધુની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.ઘટનાની જાણ કરતાં ભરૂચ એ ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવી રંજનબેન અટાલિયાની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.તો બનાવની ગંભીરતા જોઈ ડીવાયએસપી સી કે પટેલ દ્વારા પણ બનાવ વાળા સ્થળની તપાસ કરવામાં આવી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is