– ૨૪ કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું
આમોદ,
આમોદના કાછીયાવાડ ખાતે આવેલા ગાયત્રી મંદિરના ૨૫ માં પાટોત્સવ નિમિત્તે રજત જયંતિ વર્ષની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.વડોદરાના ગાયત્રી પરિવાર દ્વારા વૈદીક મંત્રોના ઉચ્ચારણ સાથે ૨૪ કુંડી મહાયજ્ઞ કરાવવામાં આવ્યો હતો.આમોદના ગાયત્રી પરિવાર દ્વારા રજત જયંતિ વર્ષ નિમિત્તે ૨૦ મી એપ્રિલના રોજ સવારે ૯ થી ૧૨ કલાકે નારીશક્તિ જાગૃતિ અભિયાન અંર્તગત પ્રજ્ઞા પુત્રી ખ્યાતિબેન પટેલનાં વકતવ્યનું આયોજન કરવામાં આવ્યુ હતું.તેમજ દિવ્ય અખંડ દીપ શતાબ્દી અને ભગવતી દેવી શર્માના જન્મ શતાબ્દી વર્ષની પણ ઉજવણી કરવામાં આવી હતી.વિશ્વશાંતિ તેમજ લોકોના ઉજવળ ભવિષ્ય માટે ૨૪ કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભારતીય સંસ્કૃતિ મુજબના ગર્ભસંસ્કાર,વિદ્યારંભ સંસ્કાર, નામકરણ સંસ્કાર વિગેરે સંસ્કારોનું આયોજન કરવામાં આવ્યું હતું.૨૪ કુંડી મહાયજ્ઞમાં ૨૬ દંપતિઓએ પૂંજાવિધિમાં ભાગ લીધો હતો. આવેલા મહેમાનોએ મહાયજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી.ગાયત્રી મહાયજ્ઞમાં શ્રીફળ હોમાયા બાદ પધારેલ મહેમાનોએ સમૂહ આરતીનો પણ લાભ લીધો હતો.મહાયજ્ઞ બાદ ગાયત્રી પરિવારના કમલેશ પટેલનું પુષ્પમાળા પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.૨૪ કુંડી મહાયજ્ઞ બાદ માઈ ભક્તોએ મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is