best news portal development company in india

પાવીજેતપુર મુસ્લિમ સમાજ દ્વારા યુસીસી અને વકફ બિલ લાગુ કરવાના વિરોધમાં મૌન રેલી યોજી આવેદનપત્ર અપાયું

SHARE:

(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)
યુનિફોર્મ સિવિલ કોડ અને વકફ એકટ ૨૦૨૫ના કાયદાના વિરોધમાં સમગ્ર પાવીજેતપુર નગર તેમજ તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા પોતાના વેપાર ધંધા દુકાનો બંધ રાખી હાથમાં કાળી પટ્ટી બાંધી લાંબી મૌન રેલી યોજી પાવીજેતપુર મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો.
ગુજરાત સરકાર દ્વારા લાગુ કરાનાર યુનિફોર્મ સિવિલ કોર્ડ અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત વકફ એક્ટ ૨૦૨૫નો પાવીજેતપુર મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરીને શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવ્યો હતો. પાવીજેતપુર નૂરાની મસ્જિદ થી રેલી નીકળી તીનબત્તી, બસ સ્ટેન્ડ થઈ એપીએમસી પહોંચી હતી ત્યાંથી સાધનો મારફતે રતનપુર ખાતે સેવા સદન પહોંચી આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો.પાવીજેતપુર નગર તેમજ તાલુકાના મુસ્લિમ બિરાદરોએ શાંતિમય રીતે પોતાના ધંધા, વેપાર, રોજગાર બંધ રાખી હાથમાં કાળી પટ્ટી બાંધી પાવીજેતપુર નગરમાં ફરી સેવા સદન પહોંચી આવેદનપત્ર આપ્યું હતું.
પાવીજેતપુર મુસ્લિમ સમાજમાં અગ્રણીઓએ આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા વકફ બોર્ડના નવા કાયદા અને ગુજરાત યુનિફોર્મ સીવીલ કોર્ડ લાગુ કરવાને લઇને ફેરફાર કરી બિલ સંસદમાં પસાર કરી નવો કાયદો બનાવે છે. જેને લઈને મુસ્લિમ સમાજમાં રોષ છે. પાવીજેતપુરના મુસ્લિમ સમાજના લોકો વકફ બોર્ડના કાયદાને રદ કરવા માંગ કરી હતી. તેમજ ગુજરાત સરકાર યુનિફોર્મ સિવિલ કોડ કાયદો લાવવાની વિચાર કરી રહી છે તેનો સખત વિરોધ કર્યો હતો.
આમ પાવીજેતપુર નગરમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહી વકફ બીલ અને યુસીસીના કાયદાનો વિરોધ કરતા મોટી મૌન રેલી યોજી હતી અને પાવીજેતપુર મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!