– શ્રી પરશુરામ સંગઠન દ્વારા બે લાભકારી યોજનાઓનો પ્રારંભ
ભરૂચ,
શ્રી પરશુરામ સંગઠન દ્વારા શ્રી પરશુરામ જન્મોત્સવ પૂર્વે બ્રહ્મસમાજના પાંચ શ્રેષ્ઠી બ્રહ્મરત્નોનું સન્માન કરાયું સાથે ભૂદેવો માટેની બે લાભકારી યોજનાઓનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
બ્રાહ્મણોના આરાધ્ય અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામજીના જન્મોત્સવની આગામી તારીખ ૨૯ એપ્રિલ ૨૦૨૫ ને મંગળવારના રોજ ઉજવણી થનાર છે.તે પૂર્વે શ્રી પરશુરામ સંગઠન દ્વારા વિવિધ સામાજિક કાર્યો થકી ઉજવણી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત સપ્તાહ દરમ્યાન ભુદેવો માટે લાભકારી બે યોજનાઓ શ્રી પરશુરામ રોજગાર યોજના અને ડિસ્કાઉન્ટ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.સાથે સમાજમાં પોતાની સિદ્ધિઓ અને સેવાથકી સમાજને ગૌરવ પ્રદાન કરનાર બ્રહ્મરત્નોનું સન્માન કરવામાં આવ્યું હતું,જેમાં પ્રખર સાહિત્યકાર,શિક્ષક અને કટાર લેખક હરિવદન જોશી,કવિ અને સાહિત્યકાર એવા પ્રભુદત્તભાઈ ભટ્ટ,જાણીતા ચિત્રકાર અશ્વિન પંડયા,આનંદનો ગરબો અને સુંદરકાંડનો પ્રચાર પ્રસાર કરી લોકોમાં ભક્તિમય જાગૃતિ લાવનાર સંદીપ પુરાણી અને સેકન્ડ ઈનિંગ ગ્રુપ દ્વારા નિવૃત થયેલ પોલીસકર્મીઓને સામાજિક કાર્ય કરવા પ્રોત્સાહન પૂરું પાડી પ્રેરણાત્મક ઉમદા ઉદાહરણ પૂરું પાડનાર પ્રદીપ મોંઘેનું ઉપસ્થિત શ્રી પરશુરામ સંગઠનના હરેશ પુરોહિત,કિરણ જોશી,રાજકુમાર દુબે,જતીન ભટ્ટ, હેમલ દવે,શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લના હસ્તે શાલ ઓઢાડી અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is