best news portal development company in india

કરજણ ડેમ માંથી કરજણ નદીમાં પાણી છોડવાની માંગ

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

કરજણ ડેમ માંથી કરજણ નદીમાં પાણી છોડવા બાબતે નર્મદા જીલ્લા ભાજપા પ્રમુખ નીલરાવે  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી પાણી છોડવાની માંગ કરી છે.લેખિત રજૂઆતમા જણાવ્યું છે કે હાલ ઉનાળાની ઋતુ ચાલતી હોવાથી નર્મદા જીલ્લાની નાંદોદ તાલુકાની કરજણ નદીના કિનારાના આજુબાજુના ગામોમાં કુવા તેમજ બોરમાં ઉનાળાના કારણે પાણીના સ્તર ખૂબ જ નીચા જતા રહેવાના કારણે કુવા તેમજ બોર માંથી પુરતું પાણી મળતું ન હોવાથી ખેતીમાં ખેડૂતોને ઉભા પાકમાં નુકસાન થાય તેમ હોય,જેથી નાંદોદ તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન કરજણ ડેમનું પાણી હાલ તાત્કાલિક મળી રહે તેમજ એપ્રિલ,મે અને જૂન મહિના સુધી પાણી મળી રહે તે પ્રમાણે કરજણ નદીમાં પાણી છોડવાની માંગ કરી છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!