best news portal development company in india

આમોદ તાલુકાના અનોર ગામે વરસાદી કાસમાથી માટી ચોરીનું કૌભાંડ

SHARE:

– મર્યાદિત માપ કરતા વઘુ ખોદકામ કરતાં ગામના તલાટીએ જ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી

આમોદ,

આમોદ તાલુકાનાં અનોર ગામે કોન્ટ્રાકટર દ્વારા વરસાદી કાસમાંથી વધુ માટી ખોદાણ કરાતા ગામનાં તલાટીએ ભરૂચ ભૂસ્તર વિભાગને લેખીત ફરિયાદ કરી તપાસની માંગણી કરતા ચકચાર મચી જવા પામી હતી.અનોર ગામના તલાટીની લેખિત ફરિયાદ મુજબ ઘમણાદ ગામના સીમાડાથી તણછા ગામના સીમાડા સુધી અનોર ગામની વરસાદી કાસ ખોદવાની પરવાનગી ભુસ્તર શાસ્ત્રીની કચેરી ભરૂચ ખાતેથી આપવા આવી હતી.આ પરવાનગી અંતર્ગત ત્રણ મીટરની ઉંડાઈથી કાસ ખોદવાનો ઉલ્લેખ હતો.જે બાબતે અનોર ગામના તલાટી કમ મંત્રી સ્થળ તપાસણી કરતા ત્રણ મીટર થી વધુનું ખોદકામ ધ્યાને આવ્યુ હતુ અને કોન્ટ્રાકટરને સમગ્ર ખોદકામ બાબતે પૂછતાં કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતો.સમગ્ર બાબતે માટી ખનન ના પરવાનગીના નિયમોનું ઉલ્લંઘન થયાનું પ્રથમ દ્રષ્ટિએ જણાય આવ્યુ હતું.આ ઉપરાંત ૪૦ દિવસમાં કાસ ખોદવાનું કામ પૂર્ણ કરવાની પરવાનગીમાં જોગવાઈ છે છતાં ૪૦ દિવસ વીતી ગયા છતાં કામ પૂર્ણ થયેલ નથી સદર ગંભીર બાબતે યોગ્ય કાર્યવાહીની માંગ ગામના જ તલાટી કમ મંત્રી દ્વારા તારીખ ૧૭/૪/૨૦૨૫ થી લેખિતમા ડિસ્ટ્રિક્ટ જીઓલોજિસ્ટ, ભુસ્તર શાસ્ત્રી કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતુ કલેક્ટર કચેરી ભરૂચ અને આમોદ મામલતદારને જાણ કરવામા આવી હતી.ગામના તલાટી કમ મંત્રીની લેખિત ફરિયાદ આપ્યા બાદ પણ ભૂસ્તર વિભાગ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં નહી આવતાં ભૂસ્તર વિભાગની કચેરી સામે અનેક સવાલો ઉભા થયા હતા.

– ભૂસ્તર વિભાગ પરવાનગી આપ્યાં બાદ સમય મર્યાદામાં તપાસણી કરે તો માટી કૌભાંડો ઉપર અંકુશ આવે

 ભરૂચ ભૂસ્તર વિભાગની આળસને કારણે આમોદ પંથકમા અનેક ભૂમાફિયાઓને ઘી કેળા થઈ ગયા છે.કારણકે કોન્ટ્રાક્ટરોને માટી ખનનની પરવાનગી આપ્યાં બાદ સમય મર્યાદામાં માપણી નહી કરતાં ભૂમાફિયાઓ જાણે મોકળું મેદાન મળ્યુ હોય તેમ પરવાનગી કરતાં વધુ માટી ચોરી કરી સરકારી તિજોરીને નુકશાન પહોંચાડી રહ્યા છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!