(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા તાલુકાના અશા ગામે રહેતા પ્રવીણભાઈ અંબાલાલભાઈ માછી ઉં.વર્ષ ૬૦ જેઓ તેમના પરિવાર સાથે રહી મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.ગતરોજ પ્રવીણભાઈ માછી બપોર બાદ મજૂરી કામ અર્થે ગયા હતા.સાંજે આશરે સાત થી આઠ ના ગાળા દરમિયાન તેઓ પાણેથા અશા ગામ વચ્ચેથી પસાર થતી કરજણ કેનાલથી અશા તરફ આવતા સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે પ્રવીણભાઈને અડફેટે લીધા હતા.આ અકસ્માત દરમિયાન પ્રવીણભાઈને ગંભીર રીતે ઈજાઓ પહોંચી હતી.ઈજાગ્રસ્ત પ્રવીણભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઉમલ્લા પ્રાથમિક સારવાર અર્થે સરકારી દવાખાને લઈ ગયા હતા.જ્યાં ફરજ પરના તબીબે પ્રવીણભાઈને મરણ જાહેર કર્યા હતા.અજાણ્યા ઈસમે પ્રવીણભાઈને ટક્કર મારી અકસ્માત સર્જી મોત નિપજતા તેમના દીકરા કિશોરભાઈ પ્રવીણભાઈ માછી એ ઉમલ્લા પોલીસ મથકમાં અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is