ભરૂચ,
ભરૂચ શહેરમાં પાકિસ્તાન પ્રેરિત આતંકી હુમલાની ઘટના બાદ જંગી આક્રોશ જોવા મળ્યો હતો. લોકોએ પાકિસ્તાનના વિરોધરૂપે અનોખું પ્રદર્શન કર્યું.શક્તિનાથ સર્કલ, કલેક્ટર કચેરી સર્કલ અને કોર્ટ નજીકના વિસ્તારોમાં રસ્તા પર પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ દોરવામાં આવ્યો હતો.સ્થાનિક નાગરિકોએ જણાવ્યું કે આતંકવાદી કૃત્યો દ્વારા શાંતિ ભંગ કરનારા પાકિસ્તાનનું સ્થાન હવે માત્ર રસ્તા પર જ છે,એવો સંદેશ આપવા માટે આ પ્રતિકાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રસ્તા પરથી ચાલતાં વાહનો અને રાહદારીઓ દ્વારા પણ આ વિરોધ પ્રદર્શનનો સમર્થન મળ્યું હતું.આ મુદ્દે ભારે ઉશ્કેરાટ વચ્ચે પણ શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવાયો હતો અને સુરક્ષા એજન્સીઓએ પણ હાલત પર નજર રાખી હતી.ભવિષ્યમાં પણ આવા આતંકી કૃત્ય સામે સઘન વિરોધ કરવામાં આવશે એવી મજબૂત લાગણી સ્થાનિકોમાં જોવા મળી રહી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is