(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા કિનારે સ્થિત અતિપવિત્ર અને શ્રદ્ધા અને આસ્થાના પ્રતિક શૂલપાણેશ્વર મહાદેવનો ત્રિદિવસીય ભાતીગળ મેળો ભગવાન શૂલપાણેશ્વરની શોભાયાત્રા બાદ સંપન્ન થયો હતો.મેળામાં મહારાષ્ટ્ર – મધ્યપ્રદેશ – ગુજરાતના લાખો શ્રધ્ધાળુઓ મેળામાં ઉમટી પડી ભગવાન શૂલપાણેશ્વરના આશિર્વાદ મેળવી ધન્ય થયા હતા.
પ્રતિવર્ષ ચૈત્ર-વદ તેરસ, ચૌદસ અમાસના દિવસો દરમ્યાન ભગવાન શૂલપાણેશ્વર મહાદેવ મંદિરે ભાતિગળ મેળો ભરાય છે.ત્રણ દિવસ દરમ્યાન મહારાષ્ટ્ર – મધ્યપ્રદેશ – ગુજરાતના લાખો શ્રધ્ધાળુઓ મેળામાં મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.તમામ શ્રધ્ધાળુઓએ ભગવાન શૂલપાણેશ્વરના દર્શન કરી ધન્ય થયા હતા.
ચૈત્ર વદ અમાસના દિવસે મંદિરેથી શ્રધ્ધાળુઓની હાજરીમાં ભગવાન શૂલપાણેશ્વર મહાદેવની શોભાયાત્રા નીકળી હતી.શોભાયાત્રા મેળામાં ફરીને નર્મદા ઘાટ ખાતે પહોંચી હતે અને ભગવાનને નર્મદા સ્નાન કરાવાયુ હતુ.
શોભાયાત્રા સંપન્ન થવાની સાથે જ ત્રિદિવસીય મેળાની પૂર્ણાહુતી થઈ હતી.આ અંગે SOUના અધિક કલેક્ટર ગોપાલ બામણીયાએ જણાવ્યુ હતુ કે ગોરા ખાતે દર વર્ષે ચૈત્ર-વદ તેરસ, ચૌદસ અમાસના રોજ સ્થાનિક તથા મહારાષ્ટ્રના ગિરિવાસી અને આદિવાસી લોકોનો મેળો ભરાય છે.જ્યાં મોટી સંખ્યામાં લોકો શૂલપાણેશ્વર મંદિરના દર્શનનો લાભ લે છે. શૂલપાણેશ્વર મંદિર વાસ્તવમાં એક શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક છે,ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જીલ્લા વહીવટીતંત્રના સંયુકત પ્રયત્નોથી શૂલપાણેશ્વર મહાદેવના મેળાનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યુ હતુ.આવતા વર્ષે પણ આજ પ્રકારે આયોજન કરવામાં આવશે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is