– એક સમયે આ બ્રિજ પરથી ભારે વાહનોની થતી હતી અવરજવર : જુના સરદાર બ્રિજ પરથી મોટા વાહનો પસાર થવા પર છે પ્રતિબંધ
ભરૂચ,
ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર આવેલ જુના સરદાર બ્રિજની એક તરફની રેલિંગનો ભાગ શનિવારની મોડી રાત્રીએ ધરાશાય થતા દોડધામ મચી જવા પામી હતી
ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર ભરૂચ – અંકલેશ્વર વચ્ચે આવેલ જૂનો સરદાર બ્રિજ અત્યંત જર્જરીત હાલતમાં થઈ ગયો છે.જેના પગલે તેને મોટા વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો અને બાઈક સહિતના નાના વાહનો બ્રીજ પરથી પસાર થઈ રહ્યા હતા.પરંતુ ગતરોજ શનિવારની મોડી રાત્રિના સમયે એકાએક બ્રિજની એક તરફની રેલીંગનો ભાગ ધરાસાઈ થઈ ગયો હતો જેના પગલે દોડધામ પામી હતી.આ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો તેમજ નેશનલ હાઈવે ઓથોરીટીના અધિકારીઓ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને બ્રિજને વાહન વ્યવહાર અર્થે બંધ કરી દેવામાં આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા નદી પર આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ બ્રિજ અત્યંત જર્જરી હાલતમાં થઈ ગયો હતો જેના વિકલ્પના ભાગરૂપે બાજુમાં અન્ય એક બ્રિજ અને કેબલ બ્રિજનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું.જેના પરથી હાલ દિલ્હી મુંબઈ વચ્ચેનો વાહન વ્યવહાર પસાર થાય છે.
જોકે બ્રીજની એક તરફની રેલિંગનો ભાગ ધરાશાય થતા હાઈવે ઓથોરીટી દ્વારા તેને તાત્કાલિક બેરિકેટ મૂકી વાહનનોની અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.જોકે મુંબઈ તરફ જતા વાહનો બાજુમાં આવેલ અન્ય બ્રિજ પરથી પસાર થતા હવે આ બ્રિજ પર ટ્રાફિકજામની સમસ્યા ઉદ્ભવશે તેમ લાગી રહ્યું છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is